For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સૂર્ય મુજબ ઘરમાં કરાઓ વાસ્તુ, દૂર થશે તમામ દોષો

વાસ્તુ શાસ્ત્ર મુજબ જાણો સૂર્યોદયથી લઈ સૂર્યાસ્ત સુધી આપણે કયા સમયે કયુ કાર્ય કરવું જોઇએ ?

By Lekhaka
|

વાસ્તુ શાસ્ત્ર પંચ તત્વો પર આધારિત છે. આ પંચ તત્વો છે અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી અને આકાશ. સૂર્ય પણ અગ્નિનું જ સ્વરૂપ ગણાયો છે. માટે સૂર્ય પણ વાસ્તુ શાસ્ત્રને પ્રભાવિત કરે છે. તેથી જરૂરી છે કે સૂર્યોદયથી લઈ સૂર્યાસ્ત થવા સુધીની દિશા અને સમય મુજબ જ આપણે ઇમારતનું બાંધકામ કરીએ તથા પોતાની દિનચર્યાનું નિર્ધારણ કરીએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ જાણો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આપણે કયા સમયે કયું કામ કરવું જોઇએ ?

આ રાખે દાગીના સંભાળીને :

આ રાખે દાગીના સંભાળીને :

વાસ્તુ શાસ્ત્ર મુજબ મધ્ય રાત્રિથી વહેલી સવારે 3 વાગ્યા સુધી સૂર્ય પૃથ્વીનાં ઉત્તરી ભાગમાં હોય છે. આ સમય અત્યંત ગુપ્ત છે. આ દિશા અને સમય કિંમતી વસ્તુઓ કે દાગીના વગેરેને સંભાળીને ગુપ્ત સ્થળે રાખવા માટે ઉત્તમ છે.

બ્રહ્મ મુહૂર્ત :

બ્રહ્મ મુહૂર્ત :

સૂર્યોદયથી પહેલા રાત્રે 3 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો સમય બ્રહ્મ મુહૂર્ત હોય છે. આ સમયે સૂર્ય પૃથ્વીનાં ઉત્તર-પૂર્વી ભાગમાં હોય છે. આ સમય ચિંતન-મનન અને અધ્યયન માટે શ્રેષ્ઠ હોય છે.

પુરતા પ્રકાશ માટે :

પુરતા પ્રકાશ માટે :

સવારે 6થી 9 વાગ્યા સુધી સૂર્ય પૃથ્વીનાં પૂર્વી ભાગમાં રહે છે. તેથી ઘર એવું બનાવો કે આ સમયે સૂર્યનો પર્યાપ્ત પ્રકાશ ઘરમાં આવી શકે.

રસોઈ બનાવવા માટે ઉત્તમ :

રસોઈ બનાવવા માટે ઉત્તમ :

સવારે 9થી બપોરનાં 12 વાગ્યા સુધી સૂર્ય પૃથ્વીનાં દક્ષિણ-પૂર્વી ભાગમાં હોય છે. આ સમય રસોઈ બનાવવા માટે ઉત્તમ છે. રસોડું અને સ્નાનઘર (બાથરૂમ) ભીનાં હોય છે. આ એવી જગ્યાએ હોવા જોઇએ કે જ્યાં સૂર્યનો પુરતો પ્રકાશ આવી શકે. તો જ આ સ્થાનો સૂકા અને આરોગ્યપ્રદ થઈ શકે છે.

અહીં બનાવો આરામ કક્ષ :

અહીં બનાવો આરામ કક્ષ :

બપોરે 12થી 3 વાગ્યા સુધી વિશ્રાંતિ કાળ (આરામનો સમય) હોય છે. સૂર્ય આ સમયે દક્ષિણમાં હોય છે. માટે આરામ કક્ષ આ જ દિશામાં બનાવવું જોઇએ.

લાયબ્રૅરીનું નિર્માણ આ ખૂણામાં કરાવો :

લાયબ્રૅરીનું નિર્માણ આ ખૂણામાં કરાવો :

બપોરે 3થી સાંજે 6 વાગ્યા સુધી અધ્યયન અને કાર્યનો સમય હોય છે તથા સૂર્ય દક્ષિણ-પશ્ચિમ ભાગમાં હોય છે. માટે આ દિશા અધ્યયન કક્ષ (સ્ટડી રૂમ) કે પુસ્તકાલય (લાયબ્રૅરી) માટે ઉત્તમ છે.

બેઠક માટે યોગ્ય:

બેઠક માટે યોગ્ય:

સાંજે 6થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય જમવાનો, બેસવાનો અને વાંચવાનો હોય છે. તેથી ઘરનો પશ્ચિમી ખૂણો ભોજન કે બેઠક કક્ષ માટે ઉત્તમ હોય છે.

શયન કક્ષ હોય અહીં:

શયન કક્ષ હોય અહીં:

રાત્રે 9થી મધ્ય રાત્રિનાં સમયે સૂર્ય ઘરનાં ઉત્તર-પશ્ચિમમમાં હોય છે. આ સ્થાન શયન કક્ષ (બેડ રૂમ) માટે પણ ઉપયોગી છે.

Read more about: hindu vastu
English summary
It is very important that the earth always receives the rays from the sun in this direction, while in construction any barrier of sun rays is not advisable.
Story first published: Friday, July 7, 2017, 10:43 [IST]
X
Desktop Bottom Promotion