Just In
- 1040 days ago #BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 1049 days ago #IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1779 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1781 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
નવરાત્રિમાં ઘટ સ્થાપનાનાં આ છે શુભ મુહૂર્ત
નવરાત્રિનો શુભ પ્રસંગ ટૂંક સમયમાં શરૂ થશે. હિન્દુ તહેવાર દરમિયાન 9 દિવસ સુધી દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિની શરૂઆત ઘટસ્થાપનથી થાય છે. ચાલો નવરાત્રિમાં કલશ સ્થાપનાના શુભ મુહૂર્ત વિશે જાણીએ.
શુભ મુહૂર્ત
સવારે 6.16થી 7.47 સુધી શુભ મુહૂર્ત છે.
લાભ મુહૂર્ત
બપોરે 12.20થી 13.51 સુધી લાભનાં ચોઘડિયામાં પણ ઘટ સ્થાપના કરી શકાય છે.
અમૃત મુહૂર્ત
બપોરે 13.51 એટલે કે 1 વાગીને 51 મિનિટથી 15.22 એટલે કે 3 વાગીને 22 મિનિટચ સુધી અમૃતનું સર્વશ્રેષ્ઠ મુહૂર્ત છે.
આ સમયે રહેશે રાહુ કાળ
આ ઘટ સ્થાપના માટે સર્વોત્તમ સમય છે, પરંતુ જે લોકો રાહુ કાળ માને છે તેઓ આ મુહૂર્તમાં સ્તાપનાના ન કરે. તેઓ આ મુહૂર્તમાં સ્થાપનાના ન કરે, કારણ કે આ સમયે રાહુકાળ રહેશે. આ સમય છે 1.30થી 3.00 વાગ્યા સુધીનો.
ઘટ સ્થાપના માટે ઉત્તમ મુહૂર્ત
સાંજે 4.53થી 6.23 સુધી શુભ મુહૂર્ત છે. પછી 6.23થી 7.53 સુધી અમૃતનું મંગળ મુહૂર્ત ફરીથી થશે કે જે ઘટ સ્થાપના માટે સૌથી ઉત્તમ સમય છે.
કળશ સ્થાપનું વિજય મુહૂર્ત 12.07થી 12.31 સુધી છે.