Just In
- 1040 days ago #BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 1049 days ago #IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1779 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1782 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
શિવલિંગ પર આ વસ્તુઓ ચઢાવવાથી પ્રસન્ન થાય છે ભગવાન શિવ
આવુ માનવામાં આવે છે કે ભગવાન શિવનું શિવલિંગ એટલુ પવિત્ર હોય છે કે તેની પૂજાથી આપના આત્માની દરેક નકારાત્મકતા દૂર થાય છે. ભગવાન શિવ દેવોના દેવ મહાદેવ એટલે કે એક સંપૂર્ણ ભગવાન ગણાય છે. જો આપ તેમને પ્રસન્ન કરો છો, તો આપની તમામ મુશ્કેલીઓ આસાન થશે અને આપને એક સારૂ જીવન મળશે.
સામાન્ય રીતે ભગવાન શિવની પૂજા શિવલિંગ સ્વરૂપે કરવામાં આવે છે અને પૂજા કરતી વખતે શિવસલિંગ પર જળ અને દૂધ ચઢાવવામાં આવે છે, પરંતુ આવું માનવામાં આવે છે કે શિવલિંગ પર નીચે મુજબની વસ્તુઓ ચઢાવવાથી આપને ફાયદો થાય છે.
આગળ વાંચો...
શેરડીનો રસ : આવુ માનવામાં આવે છે કે શેરડીનાં રસથી શિવલિંગને સ્નાન કરાવવાથી આપની નાણાકીય સમસ્યાઓ દૂર થાય છે.
અત્તર : ભગવાન શિવને અત્તર કે પરફ્યૂમ અર્પિત કરવું સારૂ ફળદાયી છે અને આનાથી આપને ખુશી તેમજ સફળતા મળે છે.
મધ : શિવલિંગ પર મધ રગડવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને આપને આરા આરોગ્ય તથા લાંબા આયુષ્યનુ વરદાન મળે છે.
ઘી : શિવલિંગ પર ઘી લગાવવું આપના બળકો માટે ફળદાયી હોય છે. તેઓ સ્વસ્થ અને બુદ્ધિશાળી થાય છે.
સરસિયાનું તેલ : વેદોના જણાવ્યા મુજબ જો આપ શિવલિંગ પર સરસિયાના તેલનું અભિષેક કરો છો, તો આપને સારૂ ફળ મળે છે.
દૂધ અને ગંગા જળ : શિવલિંગને દૂધ અને ગંગા જળથી સ્નાન કરાવવાથી આપનો આત્મા સાફ થાય છે અને આપની ચિંતાઓ દૂર થાય છે.