Just In
- 1018 days ago #BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 1027 days ago #IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1757 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1760 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
આ વિધિથી કરો હરિયાળી ત્રીજની પૂજા
હરિયાળી ત્રીજનાં દિવસે મહિલાઓ પોતાનાં પતિનાં લાંબાઆયુષ્ય અને આરોગ્યમય જીવનની કામનાનાં ઉદ્દેશથી વ્રત તથા પૂજન કરે છે. ગ્રેગોરિયન કૅલેંડર મુજબ આ વર્ષે હરિયાળી ત્રીજનો પર્વ 26મી જુલાઈએ ઉજવવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં હરિયાળી ત્રીજને કેવડા ત્રીજ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે મહિલાઓ ભગવાન શિવ શંકરને કેવડો ચઢાવી પતિનાં લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે.
હિન્દૂ ચંદ્ર-સૌર પંચાંગ મુજબ શ્રાવણ માસનાં શુક્લ પક્ષની તૃતીયાએ હરિયાળી ત્રીજનો તહેવાર ઉજવવામાં આવે છે. ચોમાસાની શરુઆતની ખુશીમાં આ પર્વ ઉજવવામાં આવે છે.
હરિયાળી શબ્દનો અર્થ છે હર્યુ-ભર્યુ અને ચોમાસું આવતા ચોતરફ હરિયાળી ફેલાઈ જાય છે. આ દિવસે મહિલાઓ સુંદર વસ્ત્રો અને આભૂષણો પહેરીને પરમ્પરાગત લોક ગીતો ગાય છે અને નાચે છે. આ દિવસને ખૂબ જ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે.
આ ઉપરાંત હરિયાળી ત્રીજનાં જ દિવસે માતા પાર્વતીને ભગવાન શિવ પતિ તરીકે પ્રાપ્ત થયા હતાં. તો બીજી બાજુ આ દિવસે ભગવાન કૃષ્ણ અને રાધાનાં પ્રેમનાં પ્રતીક તરીકે પણ ઉજવવામાં આવે છે. હરિયાળી ત્રીજનાં દિવસે મહિલાઓ પૂજા-અર્ચના પણ કરે છે.
ઘણા સ્થાનોએ મહિલાઓ હરિયાળી ત્રીજનાં દિવસે ચંદ્ર દેવની પૂજા પણ કરે છે. આ ત્રીજ-તહેવારોમાંનો એક પર્વ છે. હવે અમે આપને બતાવીએ છીએ કે હરિયાળી ત્રીજની પૂજા માટે આપને કઈ વસ્તુઓની જરૂર પડશે.
હરિયાળી ત્રીજની પૂજા માટે જરૂરી સામગ્રી :
- કાળી ભીની માટી
- વેલ પત્ર
- શમીનાં પાન
- કેળાનાં પાન
- ધતૂરાનું ફૂલ અને પાન
- અંકવ વૃક્ષનાં પાન
- તુલસીનાં પાન
- જનોઈ
- નાદ/ધાગો
- નવા વસ્ત્રો
- ફુલેરો અને ફલોમાંથી બનેલી છત્રી
માતા પાર્વતીનાં શ્રૃંગાર માટે જરૂરી વસ્તુઓ :
- મહેંદી
- ચૂડીઓ
- વીંછી
- ખોળ
- સિંદૂર
- કંકુ
- કાંસ્કો
- મ્હાવર
- સુહાગ પૂડો અને સુહાગનનાં શ્રૃંગારની વસ્તુઓ
- શ્રીફળ
- કળશ
- અબીર
- ચંદન
- તેલ અને ઘી
- કપૂર
- દહીં
- ખાંડ
- મધ
- દૂધ
- પંચામૃત
કેવી રીતે કરશો પૂજા ?
સંકલ્પ
પૂજા માટે સંકલ્પ કરો અને આ મંત્રનો જાપ કરો :
ઉમામહેશ્વરસાયુજ્ય સિદ્ધયે હરિતાલિકા વ્રતમહં કરિષ્યે
મૂર્તિ બનાવો અને પૂજનની શરુઆત કરો :
હરિયાળી ત્રીજની પૂજા સાંજે કરવામાં આવે છે. જ્યારે દિવસ અને રાત મળે છે, તે સમયને પ્રદોષ કહેવામાં આવે છે. આ સમયે સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી પવિત્ર થઈ પૂજા કરો.
હવે ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશની મૂર્તિઓ બનાવો. પરમ્પરા મુજબ આ મૂર્તિઓ સુવર્ણની બનેલી હોવી જોઇએ, પરંતુ આપ કાળી માટીમાંથી પોતાનાં હાથોથી આ મૂર્તિઓ બનાવી શકો છો.
- સુહાગ શ્રૃંગારની વસ્તુઓ સજાવો અને માતા પાર્વતીને તે અર્પિત કરો.
- હવે ભગવાન શિવને વસ્ત્રો ભેંટ કરો.
- આપ સુહાગ શ્રૃંગારની વસ્તુઓ અને વસ્ત્રો કોઇક બ્રાહ્મમણને દાન કરી શકો છો.
- આ પછી પૂર્ણ શ્રદ્ધા સાથે હરિયાળી ત્રીજની કથા સાંભળો અને વાંચો.
- કથા વાંચ્યા બાદ ભગવાન ગણેશની આરતી કરો. તે પછી ભગવાન શિવ અને પછી માતા પાર્વતીની આરતી કરો.
- ત્રણેય દેવી-દેવતાઓની મૂર્તિઓની પરિક્રમા કરો અને પૂરા મનથી પ્રાર્થના કરો.
- આખી રાત મનમાં પવિત્ર વિચારો રાખો અને ઈશ્વરની ભક્તિ કરો. આ સમ્પૂર્ણ રાત્રે આપે જાગરણ કરવું પડશે.
- બીજા દિવસે સવારે ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશની પૂજા કરો અને માતા પાર્વતીને સિંદૂર અર્પિત કરો.
- ભગવાનને કાકડી અને હલવાનો ભોગ ધરો. કાકડીથી પોતાનું વ્રત ખોલો.
- આ તમામ વિધિ પૂર્ણ થયા બાદ આ તમામ વસ્તુઓને કોઇક પવિત્ર નદી કે તળાવમાં પ્રવાહિત કરી દો.
આ પૂજા પતિનાં દીર્ઘાયુ અને ઉત્તમ આરોગ્યની કામનાની પૂર્તિ માટે કરવામાં આવે છે, તો અવિવાહિત કન્યાઓ પણ મનગમતો વર પ્રાપ્ત કરવા માટે આ વ્રત રાખે છે.