Just In
- 1018 days ago #BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 1027 days ago #IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1757 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1759 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
પેટનાં અલ્સરથી છો પરેશાન, તો અજમાવો આ 8 આયુર્વેદિક ઇલાજ
અલ્સર ત્યારે બને છે કે જ્યારે ભોજનને પચાવનાર એસિડ આમાશય કે આંતરડાની દિવાલને ક્ષતિ પહોંચાડે છે. અગાઉ એમ મનાતુ હતું કે અલ્સર તાણ, પોષણ કે જીવનશૈલીનાં કારણે થાય છે, પરંતુ વૈજ્ઞાનિકોને હવે જાણ થઈ છે કે મોટાભાગનાં અલ્સર એક પ્રકારનાં જીવાણુ હેલિકોબૅક્ટર પાયલોરી કે એચ. પાયલોરી દ્વારા થાય છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ બૅક્ટીરિયા શરીરમાં ગંદા પાણી કે ખરાબ ખોરાક દ્વારા પેટમાં પ્રવેશ કરે છે. અલ્સર ત્યારે ગંભીર થવા લાગે છે કે જ્યારે આપને કેટલાક લક્ષણો દેખાવા લાગે; જેમ કે લોહીની ઉલ્ટી, મળમાં ઘેરા રંગનું લોહી પડવું, ઉલ્ટી કે ઉલ્ટી જેવું થવું, અચાનક વજન ઉતરી જવું કે પછી ભૂખમાં પરિવર્તન થવું વિગેરે.
મધ ખાવો
1 કે 2 ચમચી શુદ્ધ મધનું સેવન દિવસમાં એક વાર કરો. તે પેટની અંદરની સપાટીનાં ઘા પર મલમનું કામ કરે છે કે જેથી અલ્સર જલ્દી સાજુ થવા લાગે છે.
કૉબિજનું જ્યુસ
અડધા કૉબિજને નાના ટુકડામાં કાપી લો અને તેને મિક્સીમાં પીસી તેનો રસ કાઢી લો. આ રસનું સેવન સૂતા પહેલા કરો.
પાણી અને મેથી
1 ગ્લાસ પાણીમાં 1 નાની ચમચી મેથી દાણા ઉકાળો. ઠંડુ થતા તેને ગાળી લો અને પછી તેમાં થોડુંક મધ મેળવી દરરોજ બે વાર પીવો.
કેળા
કેળામાં એંટી-બૅક્ટીરિયલ તત્વો હોય છે કે જે પેટમાં અલ્સરને વધતા રોકે છે. તેથી દરરોજ બ્રેકફાસ્ટ કર્યા બાદ કેળું જરૂર ખાવો.
લસણ
દિવસમાં 2-3 લસણની એક કળીનું સેવન જમ્યા બાદ જરૂર કરો.
નારિયેળ તેલ
નારિયેળ તેલ એક પ્રાકૃતિક સામગ્રી છે કે જે પેટનાં અનેક રોગોને દૂર કરે છે. તેમાં એંટી-બૅક્ટીરિયલ ગુણો હોય છે કે જે પેટનું અલ્સર પેદા કરનાર બૅક્ટીરિયાનો ખાત્મો કરે છે.
એલોવેરા જ્યુસ
એલોવેરા જ્યુસને પાણીમાં મેળવી થોડાક દિવસો સુધી પીવો.
મુળેઠી
એક ગ્લાસ ગરમ પાણીમાં 1 નાની ચમચી મુળેઠીનું પાવડર મિક્સ કરો. તેને 15 મિનિટ માટે એમ જ છોડી દો અને બાદમાં તેને ગાળીને દિવસમાં ત્રણ વાર પીવો.