Just In
- 1018 days ago #BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 1027 days ago #IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1757 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1759 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
જાણો, મધ કેટલા દિવસો બાદ થઈ શકે છે ખરાબ ?
શું આપનાં ઘરેમાં રહેલું મધ 6 માસ જૂનુ થઈ ગયુ છે અને આપ તેને ફેંકવાનું વિચારી રહ્યા છો ? પણ શું સાચે જ મધ જૂનું કે ખરાબ થાય છે. આવો આ જ વાત પર ચર્ચા કરીએ.
જો ઇજિપ્તથી લઈ જૂની સભ્યતાઓનાં ઇતિહાસની વાત કરીશું, તો આપને જણાશ કે હજારો વર્ષ જૂની સભ્યતાઓનાં અવશેષોમાં મધ પણ ઘણી વાર મળ્યુ છે અને તે પણ સારી અવસ્થામાં.
જો આપ ઇચ્છો, તો શુદ્ધ મધ સદીઓ સુધી ચાલી શકે છે. તેને ઠંડા સ્તાને રાખવું યોગ્ય ગણવામાં આવે છે.
મધ અવિશ્વસનીય અને અકલ્પનીય રીતે સ્થિર છે, કારણ કે તેની ખાંડમાં બહુ ઓછુ ભેજ હોય છે અને તે પ્રકૃતિમાં બહુ અમ્લીય છે. તેથી સૂક્ષ્મજીવો અને બૅક્ટીરિયા કે જે મધને ખરાબ કરે છે, લાંબા સમય સુધી તેની અમ્લીય પ્રકૃતિનાં કારણે ટકી નથી શકતાં.
જોકે, જો આપ તેને એક ભેજયુક્ત વાતાવરણમાં રાખશો, તો આ એક ખરાબ ગંધ આપશે કે જે ઇશારો કરી દેશે કે મધ ખરાબ થઈ ગયું છે.
જો આપનાં મધમાં ક્રિસ્ટમ જામી ગયુ છે, તો તેને ગરમ પાણીનાં વાસણમાં મૂકી દો. તેનાથી તેના ક્રિસ્ટલ ભળી જશે.
અસલી અને નકલી મધ ઓળખવાની રીત
થોડુક મધ લો અને તેને પોતાનાં અંગૂઠા તેમજ આંગળી વચ્ચે લગાવો. થોડીક વાર આપ પામશો કે થોડુક મધ આપની સ્કિનમાં સમાઈ ચુક્યું છે. સાથે જ થોડુક આપની આંગળીઓથી ચોંટી ગયુ છે અને ચિપચિપાઈ રહ્યું છે.
જી બાજુ નકલી મધમાં સામાન્યતઃ ખાંડ ભળેલી હોય છે કે જેને સ્પર્શતા જ તે ચોંટી જાય છે.