Just In
- 1045 days ago #BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 1054 days ago #IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1784 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1787 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
નપુસંકતા અને બ્રેસ્ટ કેન્સર સહિત ૮ ચમત્કારી ફાયદા થાય છે નારિયેળ ખાવાના
ડ્રાય કોકોનેટના સેવનથી સાંધા ઠીક થઈ જાય છે અને દર્દથી આરામ મળે છે.
આપણે બધા લોકો નારિયેળના સ્વાસ્થ્ય લાભોથી પરીચિત છે, પરંતુ શું તમે સૂકાં નારીયેળના લાભોથી જાણકાર છો. સૂકું નારીયેળ પકવાન બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પાણીવાળું નારિયેળ પ્રાકૃતિક રીતે સૂકાઈ ગયા પછી ગરીયુક્ત થઈ જાય છે જેને એક ગોળાના રૂપમાં નીકાળીને રાખવામાં આવે છે. જરૂર પડવા પર તેને ફોડીને ઉપયોગ કરી શકો છો.
તેમાં પાણી હોતું નથી પરંતુ પાણી જ સૂકવીને નારિયેળ તેલના રૂપમાં લેવામાં આવે છે. તમને જાણીને અંચબો થશે કે આ તેલમાં બેડ કોલેસ્ટ્રોલ હોતા નથી અને તેના ઘણા ઘણા ફાયદા થાય છે. તેનો ઉપયોગ દુનિયાના ઘણા ભાગમાં થાય છે. ડ્રાઈ કોકોનેટમાં ડાયટરી ફાઈબર, કોપર, મેગ્નેશિયમ અને સેલેનિયમ પણ હોય છે. તેમાં ઉચ્ચ પોષક તત્વ હોય છે. તેના સ્વાસ્થ્ય લાભ નીચે પ્રકારે છે:
૧. હદય માટે લાભદાયક-
ડ્રાઈ કોકોનેટમાં ડાયટરી ફાઈબર હોય છે જે કે હદયને હેલ્દી બનાવી રાખે છે. જેમકે તમે જાણો છો કે પુરુષના શરીરને ૩૮ ગ્રામ ડાયટરી ફાઈબર અને મહિલાના શરીરને ૨૫ ગ્રામ ડાયટરી ફાઈબર જોઈએ છીએ. ડ્રાય કોકોનેટથી શરીરની આ જરૂરિયાત પૂરી થઈ જાય છે.
૨. મગજની ગતિવિધીને સુધારવી-
જો તમે તમારા બ્રેનને સ્માર્ટ બનાવવા ઈચ્છો છો તો ડ્રાય કોકોનેટ તમારા ખોરાકમાં શામેલ કરો. એવુ ઘણા અધ્યયોનો પરથી સાબિત થયુ છે કે કોકોનેટના સેવનથી મગજ તેજ થાય છે અને અલ્જાઈમર જેવી ઘાતક બીમારીઓ પણ થતી નથી.
૩. ઈમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરવી
તેમાં ૫.૨ માઇક્રોગ્રામ સેલેનિયમ હોય છે જે શરીરની પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત બનાવે છે. તેને તમારા ખોરાકમાં શામેલ કરવાથી શરીરમાં ઘણા રોગ પણ થતા નથી.
૪. પુરુષોમાં પ્રજનન ક્ષમતા વધવી-
આ કોઈ મિથ્યા નથી પરંતુ એક સત્ય છે કે નારિયેળનું સેવન કરવાથી પુરુષોમાં નપુસંકતા દૂર થાય છે. મેડિકલ સાયન્સમાં પણ ઘણા પરીક્ષણોથી આ વાતને સિદ્ધ કરી છે. એવું તેમાં મળી આવનાર સીલિયમના કારણે થાય છે જે પુરુષત્વને મજબૂત બનાવી દે છે.
૫. એનીમિયા-
એક ઉંમર પછી મહિલાઓમાં મોટાભાગે લોહીની ઉણપ થઈ જાય છે. એવુ આયરનની ઉણપના કારણે થાય છે. તેના કારણે બીજા રોગ પણ શરીરમાં ઘર કરી લે છે. ડ્રાય કોકોનેટ તેનાથી રાહત અપાવે છે. એટલા માટે જો તમારા શરીરમાં લોહીની ઉણપ હોય તો તમે ડ્રાય નારિયેળનું સેવન જરૂર કરો.
૬. કેન્સરના જોખમને ઓછું કરવું-
જો તમારા પરિવારમાં કોઈને પહેલા કેન્સર હતુ તો તમારે હંમેશા સાવધાની રાખવી જોઈએ, ખાસ કરીને મહિલાઓએ, જેમના ત્યાં બ્રેસ્ટ કેન્સરનો કેશ સામે હોય. એમ તો કોકોનેટ પ્રોસ્ટેટ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરને ના થવામાં મદદ કરે છે. એટલા માટે તેને તમારા ખોરાકમાં જરૂર શામેલ કરો.
૭. પાચન ક્રિયાને સારી રાખે-
ડ્રાય કોકોનેટનું સેવન કરવાથી પાચન ક્રિયા સારી બની રહે છે અને કબજીયાત, લોહીના ઝાડા અને મસાની સમસ્યા પણ યોગ્ય થઈ જાય છે. સાથે જ તેનો કોઈ દુષ્પ્રભાવ પણ પડતો નથી.
૮. સંધિવા ઠીક કરવામાં-
ડ્રાય કોકોનેટનું સેવન કરવાથી સંધિવા ઠીક થઈ જાય છે અને દર્દથી આરામ મળે છે. જોકે તેમાં ઘણા મિનરલ્સ હોય છે એવામાં આ કોશિકાઓને સ્વસ્થ રાખે છે અને શરીરને હેલ્દી બનાવી રાખે છે.