Just In
- 1018 days ago #BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 1027 days ago #IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1757 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1760 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
પિલ્સની જગ્યાએ લો લીંબુ પાણી, થશે બધી બીમારીઓ દૂર
લીંબુના જ્યુસનું નિયમિત સેવન કરવાથી શરીરની ઈમ્યૂનીટી વધે છે, સાથે જ પાચન પ્રક્રિયામાં પણ સુધારો થાય છે. તમને જણાવી દઈએ કે લીંબુ પાણીનું નિયમિત સેવન કરવાથી શરીરનું પીએચ લેવલ પણ સંતુલિત બની રહે છે.
સાઈટ્રસ ફળોમાં વિટામીન સીની ભરપૂર માત્રા હોય છે અને તેનાથી શરીર પર હાનિકારક કિરણો જેવા કે- પારજાંબલી નો પ્રભાવ પડતો નથી. વિટામીન સીના સેવનથી હદય રોગ થવાનું જોખમ ઓછું થઇ જાય છે અને એટેકે વગેરે આવવાની સંભાવના પણ ઓછી થઇ જાય છે. જો તમારું બીપી ખૂબ વધુ રહેતું હોય તો પણ આ ફાયદાકારક થાય છે.
શરદીથી ગ્રસિત લોકો માટે લીંબુ પણ મદદરૂપ હોય છે. જોકે તેમાં પોલિફિનોલ એન્ટીઓક્સીડેન્ટ હોય છે તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. તેના ઉપરાંત શરીરમાં ઈન્સુલિનની માત્રા પણ તેના સેવનથી સારી થઇ જાય છે.
જો લીંબુના જ્યુસના આટલા ફાયદા છે તો તમે કોઈપણ પ્રકારની દવાના નિયમિત ઉપયોગ વગર થોડા દિવસો સુધી તેનું સેવન કરીને જુઓ. નાંખો એક નજર
૧. કિડનીમાં પથરી થતી નથી-
લીંબુના જ્યુસમાં પોટેશીયમ હોય છે જે કિડનીમાં પથરીનું નિર્માણ થવાથી રોકે છે. જોકે તેમાં સાઈટ્રસ લેવલ વધારે હોય છે તો પથરી બની શકતી નથી.
૨. ઈમ્યૂનીટી બૂસ્ટ થવી-
લીંબુ પાણીમાં લિમ્ફેટક પ્રક્રિયા વધારવાનો ગુણ હોય છે જે ઈમ્યૂનિટીને વધારે છે.
૩. ભૂખ ઓછી કરવી અને વજન ઓછો થવો-
લીંબુના રસમાં પેસ્ટિન હોય છે જે ભૂખમાં ઉણપ લાવે છે અને ભૂખ પર નિયંત્રણ લાવી દે છે.
૪. ગોલબ્લેડરમાં દુખાવો-
લીંબુનો રસ પીવાથી ગોલબ્લેડરમાં થનાર દુખાવો યોગ્ય થઈ જાય છે.
૫. શરદી અને ફ્લુ-
જો તમને શરદી અને ફ્લુ થાય છે તો તમે લીંબુના રસનું સેવન કરો, તેનાથી ઘણો આરામ મળે છે.
૬. ગેસ્ટ્રોસોફેગલ રિફ્લેક્સ બીમારી-
જીઈઆરડી નામની બીમારીની સમસ્યા થવા પર લીંબુનો જ્યુસ ખૂબ ફાયદાકારક હોય છે. બે અઠવાડિયામાં તમે બીમારીને યોગ્ય થતા અને પોતાનામાં પરિવર્તન થતા જોઈ શકો છો.
૭. ફૂડ-બોર્ન બીમારી-
જે લોકોને ફૂડ બોર્ન બીમારી હોય છે તે લીંબુના જ્યુસનું સેવન અવશ્ય કરો. તેનાથી તેમની સમસ્યા દૂર થઈ જશે.
૮. સોજા-
લીંબુમાં એન્ટી-ફન્લામેન્ટ્રી ગુણ હોય છે જે કે સોજાને દૂર કરવામાં મદદરૂપ હોય છે. તેના સેવનથી શરીરનું પીએચ લેવલ સંતુલિત રહેવાના કારણે એવું થાય છે.