Just In
- 1041 days ago #BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 1049 days ago #IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1779 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1782 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
દરરોજ સવારે હુંફાળા પાણી સાથે મધ મેળવી પીવાથી થાય છે આ ફાયદાઓ
મધ આપણાં દેશમાં એક પ્રાકૃતિક ઔષધિ તરીકે સદીઓથી ઉપયોગમાં લેવાતું રહ્યું છે. આપણામાંથી મોટાભાગનાં લોકોને માત્ર એટલી જ ખબર હોય છે કે સવાર-સવારમાં માત્ર ગરમ પાણી પીવાથી જ આપણને ફાયદો થાયછે અને ઘણા બધા લોકો એટલું જ જાણે છે કે મધનો ઉપયોગ કરવાથી આપણી ત્વચામાં નિખાર આવે છે.
પરંતુ શું આપ જાણો છો કે જો મધને ગરમ પાણી સાથે મેળવી ઉપયોગ કરવામાં આવે, તો તેની પૌષ્ટિકતા ખૂબ વધી જાયછે. હા જી, મધ અને ગરમ પાણીને મેળવીને પીવાથી આપણે આખો દિવસ તરોતાજા અનુભવીએ છીએ અને આપણું આરોગ્ય પણ બિલ્કુલ બરાબર રહે છે.
જો આપણે તમામ ડાયેટ એક્સપર્ટ્સની વાત કરીએ, તો તેમનું માનવું છે કે બાકીની ખાવ-પીવાની વસ્તુઓની સરખામણીમાં મધ વધુ પ્રભાવશાલી છે કે જેનાંથી આપણા વાળ અને આપણી ત્વચા હંમેશા ફિટ રહે છે અને આપ હંમેશા યુવા જ નજરે આવશો.
મધનો આમ જ ઉપયોગ કરવાનાં સ્તાને આપ ગરમ પાણી સાથે તેનો ઉપયોગ કરો કે જેથી આપ વધુમાં વધુ તેનો લાભ લઈ શકશો.
અમે આપને આ આર્ટિકલમાં દરરોજ સવાર-સવારમાં મધને ગરમ પાણી સાથે પીવાથી થતા ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ. આવો જાણીએ :
1 : વજન ઘટવું :
મધયુક્ત પાણી પીવાથી આપનું વજન ઘટે છે, કારણ કે 100 ગ્રામ મધમાં 305 કૅલોરી હોય છે કે જેનાથી આપને લાંબા સમય સુધી ભૂખનો અહેસાસ નથી થતો અને આપની ચરબી ઓછી થાય છે.
2 : પાચન બરાબર રહે છે :
મધ આપણા પાચન તંત્ર માટે ખૂબ જ સારૂ છે. તેમાં એંટી-સેપ્ટિક અને એંટી-બૅક્ટીરિયલ ગુણો હોય છે કે જેનાંથી આપણને પેટ સંબંધી સમસ્યાઓ નથી થતી.
3 : પ્રતિરોધક ક્ષમતા વધવી :
મધમાં ઢગલાબંધ એંઝાઇમ્સ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. આ હાનિકારક બૅક્ટીરિયા સામે આપણાં બૉડી સિસ્ટમને બચાવે છે અને રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે. એક સારૂં એંટી-ઑક્સીડંટ હોવાનાં કારણે આ આપણી ત્વચાને કાયમ તરોતાજા રાખે છે કે જેનાંથી તેમાં નિખાર આવે છે.
4 : એલર્જીથી બચાવ :
મધ અને ગરમ પાણીનો ઉપયોગ કરવાથી આપનાં શરીરનાં કોઈ પણ ભાગમાં જીવાણુ એકત્ર નથી થઈ શકતા કે જેથી આપને એલર્જી સંબંધી પરેશાની નથી થતી.
5 : તરત એનર્જી મળવી :
દરરોજ મધ અને ગરમ પાણીનું સેવન કરવાથી આપને સ્ફૂર્તિ મળે છે કે જેથી આપ દિવસ ભર પોતાની જાતને તરોતાજા અને ફિટ અનુભવો છો.
6 : કફમાં આરામ મળવો :
ગરમ પાણી અને મધથી આપને કફ તથા ગળામાં થતી બળતરાથી આરામ મળે છે. જો આપ દરરોજ તેનો ઉપયોગ કરોછો, તો ધીમે-ધીમે આ સમસ્યા ઓછી થતી જશે.