Just In
- 1038 days ago #BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 1047 days ago #IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1777 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1780 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
જાણો સવારે ભરપેટ નાશ્તો કરવાથી કેવી રીતે ઓછું થાય છે વજન ?
જો આપ પોતાની વધતી કંમરને ઓછી કરવા માંગો છો, તો આપે નાશ્તો જરૂર કરવું જોઇએ, કારણ કે તે આપનું બૉડી માસ ઇંડેક્સ (બીએમઆઈ) જાળવી રાખવામાં મદદ કરી શકે છે ! આમ શોધકર્તાઓનું કહેવું છે.
એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો દરરોજ ત્રણથી વધુ વખત ભોજન કરે છે અને ડિનરમાં વધારે ખાય છે, તેમનું બીએમઆઈ અધિક હોઈ શકે છે અને તેમને વિવિધ બીમારીઓનો જોખમ પણ વધુ હોય છે.
લોમા લિંડા યુનિવર્સિટીનાં શોધકર્તાઓ મુજબ જો આપ ભરપેટ નાશ્તો કરો છો અને લંચ કરો છઝો, તો તેનો મતલબ છે કે આપ એક રીતે 18 કલાક ઉપવાસ કરી લો છો, કારણ કે આપ રાત્રે ખાવાનું નથી ખાતા. આવું કરવું વજન ઘટાડવની એક શાનદાર રીત છે.
જર્નલ ઑફ ન્યૂટ્રિશનમાં પ્રસિદ્ધ અભ્યાસ માટે ટીમે 50,000થી વધુ લોકોનો શોધમાં સમાવેશ કરવામાં આવ્યો. અભ્યાસમાં આ તારણ નિકળ્યું કે ભરપેટ નાશ્તો કરનારાઓનું વજન ઓછુ થયુ હતું.
શોધકર્તાઓ મુજબ જે લોકો સવારે વધુ કૅલોરી લેતા હતાં, 60 વર્ષની વય પહેલા તેમનામાં ઓછું વજન જોવામાં આવ્યુ હતું. 60 વર્ષની ઉંમર બાદ સામાન્ય લોકોની સરખામણીમાં વજન ઘટવાનો મોટો અંતર જોવામાં આવ્યો.