Just In
- 1045 days ago #BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 1054 days ago #IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1784 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1787 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
હળદરયુક્ત દૂધ પીવાના જોરદાર ફાયદાઓ
હળદર અને દૂધનાં પ્રાકૃતિક પ્રતિજૈવિક ગુણો હોય છે. આ બે પ્રાકૃતિક અવયવોનો પોતાના દૈનિક આહારમાં સમાવેશ કરી આપ અનેક બીમારીઓ અને ચેપોને રોકી શકો છો. હળદરને જ્યારે દૂધ સાથે ભેળવવામાં આવે છે, ત્યારે તે ઘણી આરોગ્ય સંબંધી સમસ્યાઓમાં ફાયદાકારક સાબિત થાય છે.
હળદરયુક્ત
દૂધ
બનાવવાની
વિધિ-
*
એક
ઇંચ
હળદરનો
ટુકડો
લો
*
દૂધમાં
15
મિનિટ
માટે
ઉકાળો.
*
દૂધમાંથી
હળદરને
ચાળી
લો.
*
દૂધ
ઠંડુ
કરી
પીવો.
આવો પ્રકૃતિનાં આ શાનદાર ઉપહારના 15 શ્રેષ્ઠ ફાયદાઓ પર નજર કરીએ-
1. શ્વાસ સંબંધી બીમારીઓ
હળદરયુક્ત દૂધ પ્રતિજૈવિક હોવાના કારણે જીવાણુ અને વિષાણુનાં ચેપ પર હુમલો કરે છે. તેનાથી શ્વાસ સંબંધી બીમારીઓની સારવારમાં ફાયદો મળે છે, કારણ કે આ મસાલો આપના શરીરમાં ગરમાવો લાવે છે અને ફેફસા તેમજ સાયનસમાં જકડણમાંથી તરત રાહત મળે છે. તે મિર્ગી અને બ્રૉંકાઇટિસના નિદાનની અસરકારક સારવાર પણ છે.
2. કૅંસર
બળતરા તથા સોજો ઓછા કરવાના ગુણોના કારણે તે સ્તન, ત્વચા, ફેફસા, પ્રૉસ્ટેટ તેમજ મોટા આંતરડાનાં કૅંસરને રોકે છે. તે કૅંસર કોશિકાઓમાંથી ડીએનએને થતા નુકસાનને રોકે છે અને કીમોથેરેપીની આડઅસરોને ઘટાડે છે.
3. અનિંદ્રા
હળદરુયક્ત ગરમ દૂધ ટ્રિપ્ટોફૅન નામના ઍમીનોઅમ્લ બનાવે છે કે જે શાંતિપૂર્વકની અને ગાઢ નિંદ્રામાં સહાય કરે છે.
4. સર્દી અને ખાંસી
પોતાના પ્રતિજીવાણુ અને પ્રતિવિષાણુ ગુણોનાં કારણે હળદરયુક્ત દૂધને સર્દી અને ખાંસીની સર્વશ્રેષ્ઠ સારવાર ગણાય છે. તેનાથી ગળામાં ખરાશ, સર્દી અને ખાંસીમાંથી તરત રાહત મળે છે.
5. સંધિવા
હળદરયુક્ત દૂધને સંધિવા (આર્થરાઇટિસ)ના નિદાન તેમજ રિયુમેટૉઇડ સંધિવાના કારણે સોજાની સારવાર માટે પ્રયોગ કરાય છે. તે સાંધા અને પેશીઓ લવચીક (ફ્લેક્સિબલ) બનાવી દર્દ ઓછુ કરવામાં પણ સહાયક હોય છે.
6. પીડા અને દુઃખાવો
હળદરયુક્ત સોનેરી દૂધથી પીડા અને દુઃખાવામાં સૌથી વધુ રાહત મળે છે. તે કરોડરજ્જુના હાડકા તેમજ શરીરમાં સાંધાઓને મજબૂત બનાવે છે.
7. એંટી-ઑક્સીડંટ
હળદરયુક્ત દૂધ મુક્ત રૅડિકલ્સ સામે લડતા એંટી-ઑક્સીડંટનુ શ્રેષ્ઠ સ્રોત છે. તેનાથી ઘણી બીમારીઓ મટી શકે છે.
8. રક્ત શોધક તરીકે
આયુર્વેદિક પરંપરામાં હળદરયુક્ત દૂધને એક શ્રેષ્ઠ રક્ત શોધક ગણવામાં આવે છે. તે શરીરમાં રક્ત પરિસંચરણ (રુધિરાભિસરણ)ને મજબૂત બનાવે છે. તે રક્તને પાતળ કરનાર, લિમ્ફ તંત્ર તેમજ રક્ત વાહિકાઓની ગંદકીને સ્વચ્છ કરનાર હોય છે.
9. યકૃત (લીવર)ને વિષમુક્ત કરવું
હળદરયુક્ત દૂધ પ્રાકૃતિક રીતે યકૃત (લીવર)ને વિષમુક્તકરનાર તથા રક્તને શોધિત કરનાર હોય છે કે જે યકૃતને મજબૂત બનાવે છે. તે યકૃતને સહારો આપે છે અને લિમ્ફ તંત્રને સ્વચ્છ કરે છે.
10. હાડકાંઓનુ આરોગ્ય
હળદરયુક્ત દૂધ કૅલ્શિયમનું સારૂ સ્રોત છે કે જે હાડકાઓને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે જરૂરી હોય છે. ભારતનાં મહાન બૅટધર માસ્ટર-બ્લાસ્ટર સચિન તેંદુલકર હાડકાઓના શ્રેષ્ઠ આરોગ્ય માટે તેને દરરોજ પીવે છે. હળદરયુક્ત દૂધથી હાડકાઓમાં નુકસાન તેમજ ઑસ્ટિયોપોરેસિસમાં ઘટાડો થાય છે.
11. પાચન સંબંધી આરોગ્ય
આ એક શક્તિશાળી એંટી-સેપ્ટિક હોય છે અને આંતરડાને સ્વસ્થ બનાવવાની સાથે-સાથે પેટના અલ્સર તેમજ કોલાઇટિસની સારવાર કરે છે. તેનાથી પાચન બહેતર રહે છે અને અલ્સર, ડાયેરિયા તેમજ અપચો નથી થતાં.
12. માસિક સંબંધી દુઃખાવો
હળદરયુક્ત દૂધ ચામત્કારિક રીતે કાર્ય કરે છે, કારણ કે તેનાથી માસિક ચક્ર દરમિયાન થતા દુઃખાવામાંથી રાહત મળે છે. સગર્ભા મહિલાઓએ આ સોનેરી દૂધ સરળ પ્રસુતિ, પ્રસુતિ બાદના સુધાર, શ્રેષ્ઠ દૂધ ઉત્પાદન તથા અંડાશયના ઝડપી સંકોચન માટે લેવું જોઇએ.
13. ત્વચા લાલ થવી
ક્લિયોપાટ્રા કોમળ, ફ્લેક્સિબલ તથા કાંતિમય ત્વચા માટે હળદરયુક્ત દૂધથી સ્નાન કરતા હતાં. તેવી જ રીતે કાંતિમય ત્વચા માટે હળદરયુક્ત દૂધ પીવો. રૂના પુમડાને હળદરયુક્ત દૂધમાં પલાડી અસરગ્રસ્ત ભાગ પર 15 મિનિટ માટે લગાવો. તેનાથી ત્વચા પર લાલાશ અને ચકામા ઓછા થશે. તેનાથી આપની ત્વચા પર નિખાર અને ચમક આવશે.
14. વજન ઘટાડવું
હળદરયુક્ત દૂધથી પોષણની ચરબીને નષ્ટ કરવામાં મદદ મળે છે. તે વજનને કાબૂમાં કરવામાં મદદ કરે છે.
15. એક્ઝીમા
એક્ઝીમાની સારવાર માટે દરરોજ એક ગ્લાસ હળદરયુક્ત દૂધ પીવો.