For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pineberries ના આરોગ્ય લાભો

|

પૅનબેરીઝ એ સફેદ સ્રોબેરીઝ છે કે જે લાલ સ્રોબેરીઝ કરતા વધુ તંદુરસ્ત અને સારી હોઈ છે, પાએંબેરીઝ ની અંદર એન્ટીઑકિસડન્ટો ખુબ જ હોઈ છે અને તેના બીજા પણ ઘણા બધા સ્વાસ્થ્ય લાભો પણ છે. ઉત્તર અમેરિકામાં, પાઇનેબેરીને ચિલોએન્સીસ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે યુરોપ માં તેને એનાનસેડરબીઅર કહે છે.

2 પ્રકાર ની સ્રોબેરીઝ ને ક્રોસબ્રીડીંગ કરવા થી પાઈનબેરીઝ નો ઉદ્ભવ થયો છે, આ સફેદ સ્રોબેરીઝ ને નાસ્તા માં ખાઈ શકાય છે અથવા યોગર્ટ સાથે મિક્સ કરી ને પણ ખાઈ શકાય છે. આને ફ્રૂટ સલાડ માં પણ ઉમેરી ને ખાઈ શકાય છે અથવા જો લોકો ને ગમી તો તેઓ પાએંબેરીઝ ની સ્મુધી પણ પી શકે છે, અને પાએંબેરીઝ ને ફ્રૂટ પાઈ બનાવતી વખતે બેકિંગ માં પણ ઉપીયોગ કરી શકાય છે.

પાઈનબેરીના સ્વાસ્થ્ય લાભો

પાએંબેરીઝ ના સ્વાસ્થ્ય લાભો

  • ઓક્સિડેટીવ તણાવ ઘટાડે છે

પાઈનબેરી એન્ટીઑકિસડન્ટો નો સમૃદ્ધ સ્ત્રોત છે. શરીરમાં ઑક્સિડેટીવ તણાવ ઘટાડવા અને આમાં કેન્સર અને કાર્ડિયોવાસ્ક્યુલર બિમારી જેવી ગંભીર આરોગ્યના જોખમોને રોકવા માટે આ સહાય કરે છે. આમ, દરરોજ એક પાઈનબૅરીનો વાટકો શરીરમાં એન્ટીઑકિસડન્ટ સ્તરને બુસ્ટ કરે છે અને વધારે છે. આ ઉપરાંત, અનિયમિત બિમારીઓનો ઉપચાર કરતી વખતે, પાઈનબેરી સમગ્ર આરોગ્યને સદ્ગુહાર્વ ની તાકાત પણ ધરાવે છે.

  • રોગપ્રતિકારક શક્તિ ને વધારે છે

પાએંબેરીઝ વિટામીન સીના પ્રાથમિક સ્ત્રોતોમાંની એક હોવાથી અને એન્ટીઑકિસડન્ટ નો પણ ભરપૂર સ્ત્રોત હોવા ના કારણે, પાઈનબેરીઝ માણસ માં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આનાથી બેક્ટેરિયા સામે લડવામાં તમને મદદ મળશે અને સામાન્ય શરદી, એલર્જી, ફલૂ, વગેરે જેવા રોગ થી બચવા માં મદદ કરશે. આમ, દરરોજ પાઇનબૅરીનો એક વાટકો ડૉક્ટરને દૂર રાખી શકે છે. લોકો તેને દહીં સાથે મજબૂત રોગપ્રતિકારક શક્તિ વિકસાવવા માટે ઉમેરી શકે છે.

  • હૃદય વધારે તંદુરસ્ત બનાવે છે

આજ ના આ ફાસ્ટ જીવન માં લોકો જે હાયપરટેન્શન અથવા કાર્ડિયાક બિમારીથી પીડાય છે તેઓએ પાઈનબેરીને નિયમિત આહારમાં ઉમેરવું જોઈએ કારણ કે તે પોટેશિયમનો એક સમૃદ્ધ સ્ત્રોત છે, જે તંદુરસ્ત હૃદય માટે મહત્વપૂર્ણ પોષક છે. પોટેશિયમની મદદથી, લોહીનું દબાણ ચેક હેઠળ રાખી શકાય છે. સામાન્ય બ્લડ પ્રેશરથી તંદુરસ્ત જીવન જીવવામાં મદદ મળશે.

હાઈ બ્લડ પ્રેશર જેવી અસામાન્યતાઓ કાર્ડિયોવેસ્ક્યુલર અરેસ્ટ, સ્ટ્રોક, ઇસ્કેમિક હૃદય બિમારીનું કારણ બની શકે છે, જ્યારે લો બ્લડ પ્રેશર સ્નાયુ ખેંચાણ, હૃદય લય અને હૃદયરોગના હુમલા તરફ દોરી જાય છે. આમ, પાઇનબેરિઝ બ્લડ પ્રેશરને નિયમન કરવામાં અને હૃદયની તંદુરસ્તીને સુધારવામાં સહાય કરી શકે છે.

  • પાચન સ્વાસ્થ્ય સુધારે છે

આજ ના આ ફાસ્ટ ફૂડ ના સમય માં અયોગ્ય પાચન તંત્ર હોવાને લીધે ઘણીવાર અપચો, બ્લૂટીંગ વગેરે જેવા જોખમો પરિણમે છે. આથી શરીરની કોલેસ્ટેરોલ સ્તર ને નોર્મલ રાખવા માટે રોજિંદા આહારમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર શામેલ કરવું આવશ્યક છે.

પૂરતી માત્રામાં ફાઇબર હોવાને લીધે હૃદયની બિમારી અને પાચન સમસ્યાઓનું જોખમ ઘટાડવામાં મદદ મળે છે પરંતુ તે ભૂખની લાગણી આપે છે અને ભૂખને નિયંત્રિત કરે છે. તેથી સાંજે અથવા મધ્ય સવારે પાઈનબૅરીનો વાટકો ફાસ્ટ ફૂડ્સ માટે ની ઈચ્છા ને ઘટાડે છે અને પાચન સિસ્ટમમાં સુધારો કરે છે.

આ સફેદ બેરી કદમાં નાના હોવા છતાં, તેની અંદર ફાઇબરની પૂરતી માત્રા હોઈ છે જે ડાયારીયા અને કબજિયાત સામે રક્ષણ આપવા માં મદદ કરી શકે છે, આમ વ્યક્તિને પેટમાં દુખાવો અથવા અન્ય પાચક સમસ્યાઓમાંથી રાહત મેળવવા માં પણ તે મદદ રૂપ બની શકે છે. તે વધુ ઝડપથી શરીરમાંથી કચરાના પદાર્થોને દૂર કરવામાં સહાય કરે છે.

  • તમને એનર્જેટિક રાખે છે

Pineberries તમને સમગ્ર દિવસ માટે energized રાખી શકે છે. આ નાના સફેદ બેરી carbs થી સમૃદ્ધ છે કે જે શરીરમાં ઊર્જા ના સ્તર માં વધારો કરવા માં મદદ કરી શકે છે. ફિટનેસ વિષે જાણકાર લોકો વિચારી શકે છે કે દરરોજ carbs ખાવા થી વજનમાં વધારો થઈ શકે છે, પરંતુ તે ચીઝી બર્ગરને મંચ કરતાં વધુ સારું છે. તદુપરાંત સવારે પેઈનબેરી ખાવાથી સમગ્ર દિવસ માટે ખોરાકની તૃષ્ણા ઓછી થશે, આમ આરોગ્ય અને શરીરના વજન પર નિરીક્ષણ રાખવા માં પાઈનબેરીઝ વધુ ઉપીયોગી સાબિત થઇ શકે છે.

  • જન્મની ખામીને અટકાવે છે

ગર્ભવતી સ્ત્રીઓ માટે ગર્ભનિરોધક અક્ષમતા એક ખુબ જ મોટો ચિંતા નો વિષય છે. તેથી જન્મજાત ખામીની તક ઘટાડવા માટે, ગર્ભવતી સ્ત્રીઓ તેમના આહારમાં પાઈનબેરીનો બાઉલ શામેલ કરી શકે છે. પાઈનબેરી એ ફોલેટનો એક સમૃદ્ધ સ્રોત છે જે ગર્ભને સુરક્ષિત કરવા માં મદદ કરી શકે છે. અને ગર્ભાશયમાં તેને કોઈપણ પ્રકારની ગૂંચવણો વગર વધવામાં મદદ કરે છે. આમ, પાઇનબેરિઝ અજાત બાળકોમાં ખામી ઓ થવા થી અટકાવી શકે છે.

  • હાડકા અને દાંત મજબૂત કરે છે

એક ચોક્કસ ઉંમર સુધી પહોંચ્યા પછી, ઘણા લોકો ના દાત અને હાડકા નબળા પડતા જાય છે. તે કિસ્સામાં, વિટામિન એ અને ડી પૂરતી માત્રામાં લેવા જોઈએ. વિટામિન એ એ રોગપ્રતિકારક તંત્ર, દ્રષ્ટિ અને વ્યક્તિના વિકાસને મજબૂત કરવામાં મદદરૂપ થઇ શકે છે. રોજિંદા આહારમાં પાઇનબૅરીના બાઉલ સાથે, કોઈ પણ તેમના દાંત અને હાડકાના આરોગ્યને સુધારી શકે છે અને ડૉક્ટરની વારંવાર મુલાકાત ને ટાળી શકે છે.

પાઈનબેરીના તમામ સ્વાસ્થ્ય લાભોને ધ્યાનમાં લેતા હવે તમારે શરીરને તંદુરસ્ત અને સક્રિય રાખવા માટે નિયમિત ડાયેટ ચાર્ટમાં પાઈનબેરીઝ ને અચૂક શામેલ કરવું જોઈએ.

Read more about: health
English summary
Pineberries are white strawberries which are healthier than the red strawberries. Pineberries are a rich source of antioxidants and have other health benefits as well. In North America, pineberries are referred to as Chiloensis while Europeans call it Ananaserdbeere.
Story first published: Saturday, October 20, 2018, 7:24 [IST]
X
Desktop Bottom Promotion