For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઘરમાં ધનની વર્ષા થવા લાગશે જો ત્યાથી તાત્કાલિક દૂર કરી દેશો આ વસ્તુઓ

By KARNAL HETALBAHEN
|

આપણે બધા ઈચ્છાતા હોઈએ છીએ કે આપણું ઘર એવું બનેલું હોય, જે પૂરી રીતે વાસ્તુના હિસાબથી હોય તથા ઘરમાં હંમેશા સકારાત્મકતા આવે અને તેમાં રહેનાર દરેક વ્યક્તિની બઢોતરી થાય.

પરંતુ ઘણી વખત એવું થાય છે કે આપણું ઘર તો વાસ્તુના હિસાબથી જ બનેલું હોય છે, પરંતુ તેમાં રાખેલી કેટલીક વસ્તુઓ પર ધ્યાન નથી આપી શકતા, જે આપણા ઘરને વિનાશનું કારણ બનાવી શકે છે.

વાસ્તુ મુજબ, ઘરમાં ઘણી એવી વસ્તુઓ હોય છે, જેની ખરાબ અસર સીધી તમારા પૈસા પર પડે છે. આ વસ્તુઓને દૂર કરવા માટે જો તમે ધ્યાન ના આપ્યું તો, તમે ક્યારે ગરીબીના રસ્તે ચાલ્યા જશો, તમને પોતાને પણ જાણ નહી થાય.

તમારું ઘર ગમે તેવું હોય, જો તમે તેમાંથી આ વસ્તુઓની સફાઈ કરી દેશો તો, તમે જીવનભર ખુશ અને પૈસાદાર બની રહેશો. આવો જાણીએ કંઈ છે તે વસ્તુઓ..

કબૂતરનો માળો

કબૂતરનો માળો

એ કહેવામાં અવો છે કે ઘરમાં કબૂતરનો માળો હોવો ગરીબીની સાથે સાથે ઘરમાં અસ્થિરતા પણ આવી જાય છે. જો તમારા ઘરમાં એક આવો જ માળો છે, તો તેને ઘરમાંથી દૂર રાખી દો.

મધમાખીનો મધપૂડો

મધમાખીનો મધપૂડો

એક મધમાખીનો મધપૂડો તમારા માટે ના ફક્ત ખતરનાક છે પરંતુ તે ઘરમાં દુર્ભાગ્ય અને ગરીબીને આકર્ષિત કરે છે. તેને ઘરમાંથી જલ્દી થી જલ્દી દૂર કરો.

કરોળીયાનું જાળ

કરોળીયાનું જાળ

ઘરમાં કરોળીયાનું જાળ તમારા જીવનમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓનો સંકેત છે... તેને તરત દૂર કરો અને તમારા ઘરને સાફ કરો.

તૂટેલો કાચ

તૂટેલો કાચ

તે ના ખરાબ વાસ્તુનું પ્રતિક છે પરંતુ તે ઘરમાં નેગેટિવ એનર્જીને પણ આકર્ષિત કરે છે. તેનાથી ઘરમાં ગરીબી બની રહે છે.

ચામાચીડિયું

ચામાચીડિયું

ચામાચીડિયું ખરાબ સ્વાસ્થ્ય, દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિઓ, ગરીબી અને અહીં સુધી કે મોતના પદાધિકારી માનવામાં આવે છે. જો તમારા ક્ષેત્રમાં ચામાચીડિયા દેખાય છે, તો સૂર્યાસ્ત પછી બધી બારીઓ અને દરવાજા સીલ કરી દો, જેનાથી તે ઘરની અંદર ના આવી શકે.

દિવાલમાં ખાડો

દિવાલમાં ખાડો

દિવાલમાં તિરાડ કે ખાડો હોય તો તેને તરત જ ઠીક કરાવો નહી તો ઘરમાં ગરીબી આવે છે.

ટપકનાર નળ

ટપકનાર નળ

ટપકનાર નળ ના ફક્ત પાણી વેસ્ટ કરે છે પરંતુ ઘરની સકારાત્મક ઉર્જાને ઘરની બહાર નીકાળવાનું કામ પણ કરે છે.

ઘરની છત પર રાખેલું કબાટ

ઘરની છત પર રાખેલું કબાટ

મોટાભાગે લોકોના ઘરની છત પર કૂડો કે જૂનું ફર્નિચર પડી રહે છે, જેને તરત જ સાફ કરવું જોઈએ નહીં તો ગરીબી વાસ કરવા લાગે છે.

જૂના પૂજાના ફૂલ

જૂના પૂજાના ફૂલ

રોજ ભગવાનની પૂજા કરતા સમયે જે ફૂલ તમે તેમને ચઢાવો છો, તે બીજા દિવસે જૂના થઈ જાય છે. તે જગ્યાને રોજ સાફ કરો અને ફૂલોને દૂર કરો. નહીં તો તેનાથી ઘરમાં ગરીબી વાસ કરવા લાગે છે.

સૂકાયેલા પાન

સૂકાયેલા પાન

ઘરમાં લાગવેલા ઝાડ, પૌંધાના સૂકાયેલા પાનને કાપીને અલગ કરી દો. સાથે જ ઘાંસ-ફૂંસને ઝાડું મારીને બહાર ફેંકી દો નહી તો ગરીબી આવી શકે છે.

ઢીલા થયેલા તાર

ઢીલા થયેલા તાર

ઘરમાં લૂઝ કે ખરાબ તાર ના રાખવા જોઈએ. કે પછી ઘરનો કોઈ પણ ઈલેક્ટ્રિક અપ્લાયંસ જો કામ કરવાનું બંધ કરી દે તો તેને તરત જ રિપેર કરાવો કે પછી તેને ઘરમાંથી દૂર કરો.

Read more about: vastu વાસ્તુ
English summary
According to Vastu, there are many things which if kept in the house, can drain you of your finances and bring in poverty. Here are the things that you should throw out of your house if you want to attract wealth.
Story first published: Tuesday, April 4, 2017, 9:59 [IST]
X
Desktop Bottom Promotion