Just In
- 1016 days ago #BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 1025 days ago #IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1755 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1758 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
ઘરમાં ધનની વર્ષા થવા લાગશે જો ત્યાથી તાત્કાલિક દૂર કરી દેશો આ વસ્તુઓ
આપણે બધા ઈચ્છાતા હોઈએ છીએ કે આપણું ઘર એવું બનેલું હોય, જે પૂરી રીતે વાસ્તુના હિસાબથી હોય તથા ઘરમાં હંમેશા સકારાત્મકતા આવે અને તેમાં રહેનાર દરેક વ્યક્તિની બઢોતરી થાય.
પરંતુ ઘણી વખત એવું થાય છે કે આપણું ઘર તો વાસ્તુના હિસાબથી જ બનેલું હોય છે, પરંતુ તેમાં રાખેલી કેટલીક વસ્તુઓ પર ધ્યાન નથી આપી શકતા, જે આપણા ઘરને વિનાશનું કારણ બનાવી શકે છે.
વાસ્તુ મુજબ, ઘરમાં ઘણી એવી વસ્તુઓ હોય છે, જેની ખરાબ અસર સીધી તમારા પૈસા પર પડે છે. આ વસ્તુઓને દૂર કરવા માટે જો તમે ધ્યાન ના આપ્યું તો, તમે ક્યારે ગરીબીના રસ્તે ચાલ્યા જશો, તમને પોતાને પણ જાણ નહી થાય.
તમારું ઘર ગમે તેવું હોય, જો તમે તેમાંથી આ વસ્તુઓની સફાઈ કરી દેશો તો, તમે જીવનભર ખુશ અને પૈસાદાર બની રહેશો. આવો જાણીએ કંઈ છે તે વસ્તુઓ..
કબૂતરનો માળો
એ કહેવામાં અવો છે કે ઘરમાં કબૂતરનો માળો હોવો ગરીબીની સાથે સાથે ઘરમાં અસ્થિરતા પણ આવી જાય છે. જો તમારા ઘરમાં એક આવો જ માળો છે, તો તેને ઘરમાંથી દૂર રાખી દો.
મધમાખીનો મધપૂડો
એક મધમાખીનો મધપૂડો તમારા માટે ના ફક્ત ખતરનાક છે પરંતુ તે ઘરમાં દુર્ભાગ્ય અને ગરીબીને આકર્ષિત કરે છે. તેને ઘરમાંથી જલ્દી થી જલ્દી દૂર કરો.
કરોળીયાનું જાળ
ઘરમાં કરોળીયાનું જાળ તમારા જીવનમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓનો સંકેત છે... તેને તરત દૂર કરો અને તમારા ઘરને સાફ કરો.
તૂટેલો કાચ
તે ના ખરાબ વાસ્તુનું પ્રતિક છે પરંતુ તે ઘરમાં નેગેટિવ એનર્જીને પણ આકર્ષિત કરે છે. તેનાથી ઘરમાં ગરીબી બની રહે છે.
ચામાચીડિયું
ચામાચીડિયું ખરાબ સ્વાસ્થ્ય, દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિઓ, ગરીબી અને અહીં સુધી કે મોતના પદાધિકારી માનવામાં આવે છે. જો તમારા ક્ષેત્રમાં ચામાચીડિયા દેખાય છે, તો સૂર્યાસ્ત પછી બધી બારીઓ અને દરવાજા સીલ કરી દો, જેનાથી તે ઘરની અંદર ના આવી શકે.
દિવાલમાં ખાડો
દિવાલમાં તિરાડ કે ખાડો હોય તો તેને તરત જ ઠીક કરાવો નહી તો ઘરમાં ગરીબી આવે છે.
ટપકનાર નળ
ટપકનાર નળ ના ફક્ત પાણી વેસ્ટ કરે છે પરંતુ ઘરની સકારાત્મક ઉર્જાને ઘરની બહાર નીકાળવાનું કામ પણ કરે છે.
ઘરની છત પર રાખેલું કબાટ
મોટાભાગે લોકોના ઘરની છત પર કૂડો કે જૂનું ફર્નિચર પડી રહે છે, જેને તરત જ સાફ કરવું જોઈએ નહીં તો ગરીબી વાસ કરવા લાગે છે.
જૂના પૂજાના ફૂલ
રોજ ભગવાનની પૂજા કરતા સમયે જે ફૂલ તમે તેમને ચઢાવો છો, તે બીજા દિવસે જૂના થઈ જાય છે. તે જગ્યાને રોજ સાફ કરો અને ફૂલોને દૂર કરો. નહીં તો તેનાથી ઘરમાં ગરીબી વાસ કરવા લાગે છે.
સૂકાયેલા પાન
ઘરમાં લાગવેલા ઝાડ, પૌંધાના સૂકાયેલા પાનને કાપીને અલગ કરી દો. સાથે જ ઘાંસ-ફૂંસને ઝાડું મારીને બહાર ફેંકી દો નહી તો ગરીબી આવી શકે છે.
ઢીલા થયેલા તાર
ઘરમાં લૂઝ કે ખરાબ તાર ના રાખવા જોઈએ. કે પછી ઘરનો કોઈ પણ ઈલેક્ટ્રિક અપ્લાયંસ જો કામ કરવાનું બંધ કરી દે તો તેને તરત જ રિપેર કરાવો કે પછી તેને ઘરમાંથી દૂર કરો.