Just In
- 1045 days ago #BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 1054 days ago #IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1784 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1786 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
કમૂરતાનાં મહિનામાં કરો આ વસ્તુઓનું દાન અને પામો દરેક સમસ્યાનું સમાધાન
કમૂરતાનાં માસ 16મી ડિસેમ્બરથી 14મી જાન્યુઆરી દરમિયાન ભગવાનની પૂજા અને દાન-પુણ્ય કરવાથી વિશેષ ફાયદા મળે છે. આવો જાણીએ કે આપણે શું-શું દાન કરવું જોઇએ ?
હિન્દુ ધર્મનાં પંચાંગ મુજબ દર વર્ષે સૌર પોષને મળમાસ કે કમૂરતાનો માસ કહે છે. તેને કાળી રાત્રિ પણ કહેવાય છે.
કમૂરતા 16મી ડિસેમ્બરથી શરૂ થાય છે. આ માસમાં ભગવાનની પૂજા અને દાન-પુણ્ય કરવાથી વિશેષ ફાયદા મળે છે. આવો જાણીએ આપણે શું-શું દાન કરવું જોઇએ ?
1. પૂજા અને દાન
એવું કહેવામાં આવે છે કે જે લોકો આ માસમાં દાન-પૂજા કરે છે, તેઓ આ માસની ખરાબ અસરોથી બચી જાય છે. તો આવો જાણીએ જુદા-જુદા પ્રકારનાં દાન.
2. ચાંદીનાં વાસણ
આ મહિનામાં ચાંદીનાં વાસણોનું દાન કરવાથી વ્યક્તિનાં મનને શાંતિ મળે છે. સાથે જ ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
3. ગોલ્ડ
એવું કહેવાય છે કે પીતળનાં વાસણમાં સોનું મૂકી દાન કરવાથી ઘરમાંપૈસાની ક્યારેય અછત નથી સર્જાતી. એટલુ જ નહીં, ઘરમાં પૈસાની બરકત પણ થાય છે.
4. ચણા
સારા આરોગ્ય, ધન અને સમૃદ્ધિ માટે કાળા ચણા કે ચણા દાળ કોઇક જરૂરિયાતમંદ તથા નિર્ધનવ્યક્તિને દાનમાં આપો.
5. ખજૂર
આ માસમાં ખજૂર દાનમાં આપવાથી ઘરનો માહોલ ખુશાલીભર્યોરહે છે અને તમામ સભ્યોમાં પ્રેમ વધે છે.
6. ગોડ
આ મહિનામાં ગોડનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. સાથે જ ગોડ દાન કરવાનાં બદલામાં ઘરમાં ભોજનની ક્યારેય અછત નથી સર્જાતી.
7. લાલ ચંદન
આ માસમાં લાલ ચંદન દાન કરવાથી પારિવારિક સુખ મળે છે. સાથે જ બુદ્ધિ, શક્તિ અને પ્રતિષ્ઠા મળે છે.
8. ચંદન
દરરોજ વપરાતું ચંદન દાન કરવાથી મહેનત કરવાની ક્ષમતા વધે છે અને આ પરિશ્રમના ફળ પામવમાં મદદ મળે છે.
9. કેસર
આ મહિનામાં કેસરનું દાન કરવાથી આપનો ભાગ્ય સારો થવા લાગે છે. સાથેજ આપ જીવનનાં તમામ ક્ષેત્રોમાં સફળતા પામો છો.
10. રત્ન
આ માસમાં કોઈ પણ રત્નનું દાન કરવું આપને ધનવાન બનાવે છે. સાથે જ ધન કમાવવાનાં રસ્તા પણ ખુલે છે.
11. શંખ
આ માસમાં શંખનું દાનકરવાથી આપની આજુબાજુનો માહોલ શુદ્ધ થાય છે. સાથે જ આ દાન આપને બુદ્ધિમાન અને સૌભાગ્યશાળી બનાવે છે.
12. ઘંટડી
એવું કહેવાય છે કે આ માસમાં ઘરનાં મંદિરમાં ઉપયોગ કરાતી ઘંટડીનું દાન કરી દેવામાં આવે, તો ઘરમાં ખુશીઓ આવે છે. એટલુ જ નહીં, ઘરની શાંતિ પણ જળવાઈ રહે છે.
13. મોતી
આ માસમાં મોતીનું દાન કરવાથી તમામ પ્રકારની બીમારીઓ સાજી થવા લાગે છે. ખાસ તો મનથી સંબંધિત બીમારીઓ. તેનાથી પરિવારનું આરોગ્ય પણ સારૂં રહે છે.