For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું આપનું બાળક દૂધ પીધા બાદ ઉલ્ટી કરી દે છે ?

By Lekhaka
|

સામાન્યતઃ નાના બાળકો દૂધ પીધા બાદ ઉલ્ટી કરી નાંખે છે કે જે જોઈને માતા-પિતા પરેશાન થઈ ઉઠે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ખૂબ જ સાધારણ વાત છે કે બાળકો સામાન્યતઃ વધુ ખાધા બાદ ઉલ્ટી કરી નાંખે છે.

તેનાથી તેમને કોઈ પણ પ્રકારની કોઈ પરેશાની નથી થતી; જેમ કે પુરતા પોષક તત્વોનું ન મળવું કે પેટ ખરાબ થવું. એવું કહેવામાં આવે છે કે જો આપનું બાળક ઉલ્ટી કરી દે છે, તો તે સ્વસ્થ છે અને આમ કરવું તેને ગમે છે, પરંતુ જો ખાધા પછી કે દૂધ પીધા પછી તેને ઓડકાર આવ્યા બાદ પણ ઉલ્ટી નથી થતી, તો આ પરેશાનીનું કારણ બની શકે અને આપે તાત્કાલિક ચાઇલ્ડ સ્પેશિયલિસ્ટને મળવું જોઇએ.

મોટાભાગનાં બાળકો પોતાની માતાનાં ખોળામાં સુઈને દૂધ પીવે છે કે ખાવાનું ખાય છે અને જો તેમને ઉલ્ટી થઈ જાય છે, તો તેનાથી બાળકની છાતી હળવી થઈ જાય છે.

તેનાથી તેમનાં ગળામાં ભોજન ફસાતુ નથી, સાથે જ તેમનું પાચન તંત્ર સારૂં રહે છે અને ઊંઘ પણ સારી આવે છે. આજે અમે આપને કેટલાક એવા જ કારણો બતાવવા જઈ રહ્યા છીએ કે કેમ બાળકો ઉલ્ટી કરે છે ?

શું આપનું બાળક દૂધ પીધા બાદ ઉલ્ટી કરી દે છે

ઉલ્ટી થવાનાં કારણો
બાળક જ્યારે દૂધ પીવે છે, તો દૂધ ગળામાંથી થઈ મસ્ક્યુલર ટ્યૂબ કે જેને ઇસોફેગસ કહેવામાં આવે છે, તેમાંથી પસાર થતા પેટમાં જાય છે. ઇસોફેગસ અે પેટને જોડવા માટે મસલ્સની રિંગ હોય છે કે જે દૂધ પીતા ખુલી જાય છે. આ જ રિંગ દૂધ કે ભોજન પેટમાં પહોંચ્યા બાદ બંધ થઈ જાય છે. હવે આ જ રિંગ જો ટાઇટ નથી હોતી, તો બધુ દૂધ ઇસોફેગસમાં પરત જતું રહે છે કે જેનાથી ઉલ્ટી થાય છે.

શું ઉલ્ટીઓ રોકી શકાય છે ?
નહીં, તેને રોકી નથી શકાતી. જો આપ પોતાનાં બાળકને ભોજન કરાવ્યા બાદ સીધા નહીં બેસાડો, તો તેને છાતીમાં ગુંગળામણ અનુભવાશે અને આ તેના માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

દૂધ પિવડાવ્યા બાદ બાળકની ઉલ્ટીઓ કઈ રીતે રોકશો ?
આ તો સાચુ છે કે આપ ભોજન કરાવ્યા બાદ બાળકની ઉલ્ટીઓ રોકી નથી શકતાં, પરંતુ તેને ઓછી જરૂર કરી શકાય છે. બાળકને ખાવાનું ખવડાવ્યાનાં 30 મિનિટ બાદ તેને સીધુ બેઠું કરી રાખો અથવા એક સાથ બધુ ખાવાનું ન ખવડાવી થોડુક-થોડુક કરીને આખો દિવસ ખવડાવો. આ સાથે જ ધ્યાન રાખો કે ભોજન વખતે બાળક પીઠનાં બળે સૂવે, નહિં કે પેટનાં બળે. પેટનાં બળ સૂવાથી તે તમામ ભોજન ઉલ્ટું કરી નાંખશે કે જેથી તેને ઉલ્ટી થશે.

શું ઉલ્ટી કરવી ગંભીર સમસ્યા છે ?
બાળક જ્યારે મોટું થઈ રહ્યું હોય છે, તો તે ઉલ્ટી કરવાનું ઓછુ કરી દે છે, પરંતુ જો મોટુ થયા બાદ પણ બધુ ભોજન ઉલ્ટીમાં કાઢી નાંખતો હોય, તો તેનાથી તેના આરોગ્ય પર ખરાબ અસર પડી શકે છે; જેમ કે વજન ન વધવું, અસામાન્ય તરળ પદાર્થોની ઉલ્ટી કરી દેવી અને શ્વાસ લેવામાં તકલીફ થવી.

English summary
Here are some of the things every parent needs to know on why a baby spits up after feeding, read on
Story first published: Friday, December 23, 2016, 12:03 [IST]
X
Desktop Bottom Promotion