Just In
- 1045 days ago #BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 1053 days ago #IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1783 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1786 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
જો આપની હથેળીઓ પર એક્સનું નિશાન છે, તો આ જરૂર વાંચો
હસ્તરેખા શાસ્ત્રની ઉત્તપત્તિ ભારતમાં થઈ હતી કે જેનો ઉપયોગ આજે આખી દુનિયા કરી રહી છે. એવું કહેવામાં આવે છે કે આપણાં હાથની રેખાઓ આપણાં વિશે ઘણુ બધુ બતાવે છે.
હસ્તરેખા શાસ્ત્રની ઉત્તપત્તિ ભારતમાં થઈ હતી કે જેનો ઉપયોગ આજે આખી દુનિયા કરી રહી છે. એવું કહેવામાં આવે છે કે આપણાં હાથની રેખાઓ આપણાં વિશે ઘણુ બધુ બતાવે છે.
જેમ કે હાથની રેખાઓનાં જ્ઞાનનાં આધારે મનુષ્યનાં વ્યક્તિત્વ અને ભવિષ્યની સંભાવનાઓ જેમ કે કૅરિયર, જીવન, લગ્ન, ધન અને આરોગ્ય સંબંધી વિષયો અંગે જણાવાઈ શકાય છે. હથેળીમાં X (એક્સ)નું હોવું, તે માણસને કંઇક ખાસ બનાવે છે.
આજે અમે આ જ નિશાન વિશે જણાવાવ જઈ રહ્યાં છીએ કે જે લોકોનાં હાથમાં X (એક્સ)નું નિશાન હોય છે અને તેઓ બીજાઓ કરતા અલગ હોય છે. આવો જાણીએ એવી જ કેટલીક રસપ્રદ બાબતો.
1. લીડર હોય છે
જે વ્યક્તિઓનાં હાથોમાં આ રેખાઓ હોય છે, તેઓ મોટું કામ કરનાર પ્રસિદ્ધ વ્યક્તિ હોય છે. તેઓ એવા લોકોમાંથી હોય છે કે જેમને મરણ બાદ પણ યાદ કરવામાં આવે છે. જે વ્યક્તિઓનાં માત્ર એક હાથમાં આ ચિહ્ન હોય છે, તે પ્રતિષ્ઠા પામનાર હોય છે અને સફળતા તેમનાં પગલા ચૂમે છે.
2. સમગ્ર વસતીમાં માત્ર 3 ટકાનાં હાથમાં આ નિશાન છે.
ઇજિપ્તનાં વિદ્વાનો મુજબ સમગ્ર વસતીમાં માત્ર 3 ટકા લોકો છે કે જેમનાં હાથમાં આ નિશાન છે. તેમાં સિકંદર પણ તેમાંનો એક હતો કે જેનાં હાથમાં એક્સનું નિશાન બનેલુ હતું.
3. આ નેતાઓનાં હાથમાં છે આ નિશાન
શક્ય છે કે આપણને આ વાત પર વિશ્વાસ કરવામાં સમય લાગે, પરંતુ આ સાચુ છે કે સિકંદર, રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિનની હથેળીઓ પર આ નિશાન છે.
4. એવું કહેવામાં આવે છે કે જે લોકોનાં બંને હાથોમાં એક્સનું નિશાન હોય છે,
એવું કહેવામાં આવે છે કે જે લોકોનાં બંને હાથોમાં એક્સનું નિશાન હોય છે, તેઓ પોતાનાં મૃત્યુ બાદ પોતાનો વારસો મૂકતા જાય છે. તે એવા લોકોમાંથી હોય છે કે જેમને મૃત્યુ બાદ પણ યાદ કરવામાં આવે છે. જે વ્યક્તિઓનાં માત્ર એક હાથમાં આ ચિહ્ન હોય છે, તે પ્રતિષ્ઠા પામે છે અને તેમને જીવનમાં સફળતા મળે છે.
5. તેની અંદર છઠ્ઠી ઇંદ્રિય હો છે
જે લોકોનાં હાથમાં એક્સનું નિશાન હોય છે, તેમની અંદર છઠ્ઠી ઇંદ્રિય હોય છે. તે સાથે તેઓ ખતરા, બેવફાઈ અને દેશદ્રોહ જેવી શંકાઓને સમય કરતા પહેલા જાણી લે છે.
6. અસીમ જ્ઞાન હોય છે
આવા લોકો તેજ અને સહજ હોય છે. તેઓ બહુ જ્ઞાની હોય છે અને આસાનીથી પોતાની આજુબાજુનાં માહોલને અપનાવી લે છે. તેઓ પોતાની આજુબાજુનાં સ્થળોએ કોઈ ઉપદ્રવ નથી ફેલાવતાં. તો જો આપને કોઇક એવી વ્યક્તિ વિશે જાણ હોય કે જેની હથેળીઓ પર આ નિશાન હોય, તો તેના વિશે અમને જરૂર જણાવો.