Just In
- 1045 days ago #BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 1054 days ago #IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1784 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1787 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
આ રીતે દૂર કરો મોઢા, નાક અને દાઢીની આજુબાજુની કાળાશ
આપણી ભારતીય મહિલાઓએ કેટલીક વિશેષ પ્રકારની ત્વચા સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે; જેમ કે મોઢા, નાક અને દાઢીની આજુબાજુના ભાગનું કાળુ પડવું.
આપણી ભારતીય મહિલાઓએ કેટલીક વિશેષ પ્રકારની ત્વચા સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે; જેમ કે મોઢા, નાક અને દાઢીની આજુબાજુના ભાગનું કાળુ પડવું. અમે અન્ય દેશોની મહિલાઓમાં આ પ્રકારની સમસ્યા નથી જોઈ, પરંતુ સૌભાગ્ય સે તેને દૂર કરવામાટે અમારી પાસે ઘણી રીતો છે. આ ભાગોની આજુબાજુની ત્વચાનો રંગ ઘેરો થતા વગર મેક-અપે બહાર જવું મુશ્કેલ થઈ પડે છે.
અને નિઃશંકપણે સરળ મેક-અપ પણ થોડુંક ફીકું લાગે છે, કારણ કે જો આપનાં ચહેરા પર વિવિધ રંગનાં શેડ્સ છે, તો એક જ ફાઉંડેશન સમગ્ર ચહેરાને કવર નથી કરી શકતું.
આપ ત્વચાને ઉજળી બનાવનાર વિવિધ તરીકાઓ અપનાવી શકોછો અને હંમેશાની જેમ અમે આપને ઘરગથ્થુ ઉપચાર જણાવી રહ્યાં છીએ, કારણ કે આ ઉપચારો વડે ઘણા બીજા પણ લાભ થાય છે. માટે મોઢા, નાક અને દાઢીની આજુબાજુની ત્વચાને ઉજળી બનાવવા માટે આ રીતો વિશે આગળ વાંચો.
1. એલોવેરા જૅલ :
મોઢા અને નાકની આસપાસની ત્વચાનો રંગ ઘેરો થવાનું મુખ્ય કારણ એ છે કે આ ભાગોને યોગ્ય મૉઇશ્ચરાઇઝર (ભેજ) નથી મળતું. એલોવેરા જૅલ ત્વચાને ભેજ પ્રદાન કરે છે. તેનાં સારા પરિણામો માટે તેને ઓવરનાઇટ ક્રીમ તરીકે ઉપયોગમાં લો.
2. ધુમ્રપાન ન કરો :
ધુમ્રપાન કરવાથી હોઠ તથા તેની આજુબાજુની ત્વચાનો રંગ ઘેરો થઈજાય છે. તેનાથી આપની ત્વચા પ્રાણહીન દેખાવા લાગે છે. માટે ધુમ્રપાન ન કરો અને શક્ય હોય, તો આ આદત છોડી દો. ભલે ફેફસા માટે નહીં, પણ કમ સે કમ ત્વચા માટે.
3. બેસન અને દૂધ :
ઘેરી ત્વચા માટે એક જૂનો ઉપચાર છે. તેનાથી મૃત ત્વચા નિકળી જાય છે અને આપનીત્વચા ચમકદાર તથા સ્વચ્છ દેખાય છે. તો જો આપ ચહેરાનો રંગ એક સરખો કરવા માંગો છો, તો બેસન અને દૂધ મેળવી ચહેરા પર રગડો.
4. હળદર :
મોઢા અને દાઢીની આજુબાજુની ત્વચાનો રંગ નિખારવા માટે હળદરને દહીં કે દૂધ સાથે મેળવી લગાવી શકાય છે. આ પણ એક પ્રાચીન ઉપચાર છે. તેનાથી આપની ત્વચામાં ચમક આવે છે અને કારણ કે હળદરમાં એંટી-બૅક્ટીરિયલ ગુણો હોય છે, માટે તે ત્વચાનાં ઘેરા રંગની સમસ્યાનો જડથી ઇલાજ કરે છે.
5. વિટામિન ઈ ઑયલ :
વિટામિન ઈ ઑયલ ત્વચાને નમી પ્રદાન કરે છે અને ત્વચાને ઘેરા રંગની સમસ્યાને પણ મહદઅંશે સાજી કરે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા વિટામિન ઈ યુક્ત ઑયલથી ત્વચાનાં તે ભાગો પર મસાજ કરો કે જ્યાં આપ વિચારો છો કે તેની જરૂર અધિક છે.
6. રેટિનૉલ ક્રીમ્સ :
રેટિનૉલ ક્રીમ્સ તેવાલોકો માટે સારી છે કે જેમની ઉંમર વધુ છે. તે જૂની ત્વચાને કાળી દે છે અને નવી તેમજ સ્વસ્થ ત્વચા સામે લાવે છે અને તેથી આ ક્રીમનો ઉપયોગ આપ મોઢા, નાક અને દાઢીની આજુબાજુનાં ભાગોનાં ઘેરા રંગની ત્વચાને ઉજળી બનાવવા માટે કરી શકો છો.