Just In
- 1039 days ago #BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 1048 days ago #IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1778 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1781 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
આમ જાણો કે આપને સ્લીપિંગ પિલ્સની લત લાગી રહી છે
અભ્યાસો મુજબ ઊંઘની ગોળીઓનું સેવન આરોગ્ય માટે ખૂબ જ ઘાતકહોય છે. તેની અનેક સાઇડ ઇફેક્ટ પણ હોય છે કે જે લાંબા ગાળા માટે મસ્તિષ્ક પર પ્રભાવ છોડી દે છે અને સાથે જ મગજની ક્રિયાવિધિને પણ ઓછી કરી નાંખે છે.
અભ્યાસો મુજબ ઊંઘની ગોળીઓનું સેવન આરોગ્ય માટે ખૂબ જ ઘાતકહોય છે. તેની અનેક સાઇડ ઇફેક્ટ પણ હોય છે કે જે લાંબા ગાળા માટે મસ્તિષ્ક પર પ્રભાવ છોડી દે છે અને સાથે જ મગજની ક્રિયાવિધિને પણ ઓછી કરી નાંખે છે.
જો આપ લાંબા સમયથી ઊંઘની ગોળીઓનું સેવન કરો છો, તો આપની બૉડીની ફંક્શનિંગ બદલાઈ જશે અને તેના પર નકારાત્મક અસર પડશે.
તે પછી જો આપ વગર ગોળીઓએ સૂવા માંગશો, તો આપને ઊંઘ પણ નહીં આવે અને અન્ય ઘણી સમસ્યાઓ પણ ઊભી થશે. આવો જાણીએ કે ઊંઘની ગોળીની લતે ચઢેલા લોકો માટે કયા 8 ચેતવણી સંકેતો છે કે જે તેમના માટે હાનિકારક છે :
1. દવાથી પીછો ન છોડાવી શકવો -
ઊંઘની ગોળીઓની લત લાગી ગયા બાદ તેનાથી પીછો છોડાવવો બહુ મુશ્કેલ હોય છે. તે પછી તાણ, હાર્ટ રેટનું વધવું અને ચિડિયાપણુ વગેરે સમસ્યાઓ પેદા થવા લાગે છે.
2. ખોરાક વધવો -
જો આપ હાલમાં એક ગોળી લઈને સૂવો છો, તો થોડાક સમય બાદ તેની અસર ઓછી થશે અને આપને બે ગોળીઓની જરૂર પડશે. એવામાં તે બહુ જ ઘાતક સંકેત છે.
3. રસ ઉડી જવો -
ઊંઘની ગોળીઓનું સેવન કરનારાઓની ઇચ્છઆઓ સમાપ્ત જેવી થઈ જાય છે. તેઓ માત્ર જીવન જીવે છે. તેમનાં કોઈ રસ નથી રહી જતો.
4. ડ્રગ્સ અંગે ઑબ્સેશન -
જે લોકો ઊંઘની દવાઓનું સેવન કરે છે, તેમનામાં ડ્રગ્સ અને અન્ય નશીલી ઔષધિઓ અંગે ક્રૅઝ થઈ જાય છે અને તેઓ તે તરફ અગ્રેસર થઈ જાય છે.
5. સુસાઇડનો ખતરો વધવો -
ઊંઘની ગોળીઓનું સેવન કરનારાઓમાં સૌથી વધુ સુસાઇડનો ખતરો હોય છે, કારણ કે તેઓ માનસિક રીતે ક્યાંક ને ક્યાંક પરેશાન હોય છે.
6. દવા છોડવામાં નિષ્ફળ થવું -
ઊંઘની દવાની લતે ચઢેલા લોકો માટે તેને છોડવામાં પરસેવો છૂટી જાય છે અને તેઓ લગભગ તેમાં નિષ્ફળ જ રહે છે. તેથી તેમનામાં તાણ ઓર વધી જાય છે.
7. એક કરતા વધુ ડૉક્ટર્સ પાસે જવું -
ઊંઘની દવાઓના લતી લોકો ઘણી વાર એક ડૉક્ટરથી સંતુષ્ટ ન થતા અનેક ડૉક્ટર્સ પાસે નિદાન માટે જવાનું પસંદ કરે છે કે જેથી તે તબીબ તેમને ઊંઘની ગોળીઓનું સેવન કરવાનું કહે અને વધુ ડોઝ આપે.