Just In
- 1044 days ago #BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 1052 days ago #IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1782 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1785 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
હળદર અને મધ મેળવીને ખાવો, તો થશે મોટી-મોટી બીમારીઓ દૂર
આપણામાંથી એવા બહુ ઓછા લોકો છે કે જેમને એ ખબર છે કે હળદરમાં જો શુદ્ધ મધ મેળવીને ખાવામાં આવે, તો તે કમાલની અસર બતાવી શકે છે. આ મિશ્રણ કઈ-કઈ બીમારીઓથી મુક્તિ અપાવે છે ? આવો જાણીએ :
ભારતમાં દરેક ઘરમાં હળદર એક જરૂરી મસાલા તરીકે યૂઝ કરાય છે. તેને માત્ર ખાવામાં સ્વાદ કે રંગ માટે જ પ્રયોગ નથી કરાતી, પણ શરીરની તમામ બીમારીઓને દૂર કરવા માટે પણ ઉપયોગ કરાય છે.
પરંતુ આપણામાંથી એવા બહુ ઓછા લોકો છે કે જેમને એ ખબર છે કે હળદરમાં જો શુદ્ધ મધ મેળવીને ખાવામાં આવે, તો તે કમાલની અસર બતાવી શકે છે. આ મિશ્રણ કઈ-કઈ બીમારીઓથી મુક્તિ અપાવે છે ? આવો જાણીએ :
જાણો ગોલ્ડન હની કેવી રીતે બનાવાય છે :
* 11 ગ્રામ કાચું કે શુદ્ધ મધ
* 1 ચમચી હળદર
બનાવવાની વિધિ :
શુદ્ધ મધ સાથે 1 નાની ચમચી હળદર મેળવી તેને એક ગ્લાસમાં નાંખો.
કેવી રીતે કરશો પ્રયોગ :
* પહેલા દિવસે : 1/2 ચમચી દર એક કલાકે લો.
* બીજા દિવસે : 1/2 ચમચી દર બે કલાકે લો.
* ત્રીજા દિવસે : 1/2 ચમચી દર ત્રીજા કલાકે લો.
કેવી રીતે ખાશો :
આ મિશ્રણને મોઢામાં ત્યાં સુધી રાખો કે જ્યાં સુધી તે મોઢામાં સમ્પૂર્ણપણે ઘોળાઈ ન જાય. આ દવાથી શરીરની શરદી ત્રણ દિવસોમાં જ ગાયબ થવા લાગે છે. ઘણા બધા લોકોએ દવા લીધા વગર આ મિશ્રણ લઈને પોતાને સાજા કર્યા.
શ્વાસની બીમારી દૂર કરે :
આ મિશ્રણની અડધી ચમચી એક અઠવાડિયા સુધી દિવસમાં 3 વખત લો. આપઇચ્છે, તો આ મિશ્રણમાં નારિયેળનું દૂધ કે પછી ચા પણ મિક્સ કરી શકો છો.
લો બ્લડ પ્રેશરમાં રામબાણ
જો આપને હીમોફીલિયા કે હાઈ બીપી અથવા લો બીપી વગેરે છે, તો આ મિશ્રણ આપના માટે રામબાણ સાબિત થઈ શકે છે. હળદર આપના બ્લડ શુગર લેવલને ઓછું કરવામાં મદદ કરે છે, પરંતુ તેને વધુ પ્રમાણમાં લેતા પહેલા પોતાનાં તબીબનો સંપર્ક જરૂર કરી લો.
કેટલીક જરૂરી ટિપ્સ :
1. જમ્યા પહેલા : જો હળદર જમ્યા પહેલા લો, તો ગળા અને ફેફસાને ફાયદો પહોંચે છે.
2. જમતી વખતે : જમતી વખતે હળદરનું સેવન કરવાથી પેટ કાયમ બરાબર રહે છે.
3. જમ્યા બાદ : કોલોન અને કિડનીઓને ફાયદો પહોંચે છે.
આપે જરૂર જાણવી જોઇએ આ વાતો :
જો આપ કોઇક ટ્રીટમેંટ પર ચાલી રહ્યા હોવ કે પછી કોઇક દવાઓનું સેવન કરી રહ્યા હોવ, તો પોતાનાં તબીબની સલાહ લઈ લો. જો આપ ગૉલબ્લૅડરની બીમારીથી ગ્રસ્ત હોવ, તો હળદર ન ખાવો. તેનાથી આપને નુકસાન પહોંચી શકે છે.