For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 ગણી ઝડપથી ઓગળશે ચરબી, જો ખાશો જીરૂં અને કેળાનું જાદુઈ મિશ્રણ

By Super Admin
|

મેદસ્વિતા ઘટાડવા માટે આપ જિમ નહીં, પણ પોતાના ડાયેટમાં જીરૂં અને કેળાનાં મિશ્રણનો સમાવેશ કરો. જીરૂં અને કેળું કેવી રીતે વજન ઘટાડે છે, આવો જાણીએ.

આપણે સૌ જાણીએ છીએ કે જાડાપણું કેવી રીતે વધે છે, પરંતુ જાણીને પણ અજાણ્યા બન્યા રહી છીએ. આજની આ વ્યસ્ત લાઇફમાં લોકો પાસે જરાય સમય નથી કે તેઓ જિમમાં જઈ પરસેવો પાડે અને પછી ચૂંટી-ચૂંટીને ખાય.

એવા લોકો કે જેઓ પીજીમાં કે કોઇક હૉસ્ટેલમાં રહે છે, તેમના માટે તો વજન ઘટાડવું શક્ય છે સમજો, પરંતુ આપ ગભરાવો નહીં, કારણ કે આજે અમે આપને એવી આસાન ઘરગથ્થુ રીત બતાવીશું કે જેની મદદથી આપ આરામથી પોતાનાં પેટની ચરબીને ઓછી કરી શકશો.

જીરૂં અને કેળું કઈ રીતે વજનને કરે છે ઓછું

જીરૂં અને કેળું કઈ રીતે વજનને કરે છે ઓછું

આયુર્વેદનાં જણાવ્યા મુજબ બંને જ એટલે કે જીરૂં અને કેળું પાચન ક્રિયાને સ્વસ્થ રાખે છે, શરીરમાંથી ગંદકી બહાર કાઢે છે. શરીરનાં મેટાબૉલિઝ્મને વધારે છે.

જીરૂં અને કેળાનાં ગુણો

જીરૂં અને કેળાનાં ગુણો

આયુર્વેદનાં જણાવ્યા મુજબ જીરૂમાં ફૅટ બર્ન કરવાનાં ગુણો છે અને કેળું પાચન તંત્રને બરાબર રાખે છે. સાથે જ પેટમાં થતા અલ્સરથી આપનું રક્ષણ કરે છે.

કેવી રીતે કરશો પ્રયોગ ?

કેવી રીતે કરશો પ્રયોગ ?

તેના માટે આપે પીળું કેળું લેવાનું રહેશે. નુસ્ખો તૈયાર કરવા માટે જીરૂને રોસ્ટ કરી પાવડર બનાવી લો. પછી એક વાટકી લો, તેમાં અડધુ કેળું નાંખી મૅશ કરી લો. પછી તેમાં જીરૂં પાવડર નાંખો અને મિક્સ કરો.

દરરોજ કેટલું લેવાય ?

દરરોજ કેટલું લેવાય ?

ઝડપથી વજન ઉતારવા માટે આ મિશ્રણને બે ચમચી દરરોજ 15 દિવસ સુધી ખાવો.

કેટલા દિવસોમાં કરશે કામ ?

કેટલા દિવસોમાં કરશે કામ ?

આ એક પ્રાકૃતિક મિશ્રણ છે કે જે તરત કામ નહીં કરે. તેના માટે આપે તેને દરરોજ ખાતા રહેવું પડશે અને જે દિવસે ફરક દેખાવાનું શરૂ થઈ જાય, સમજો કે તે કામ કરી રહ્યું છે. એમ તો તેની અસર 15 દિવસમાં જ દેખાવા લાગે છે.

English summary
those extra pounds but have not been able to, then here is the simple home remedy that can help to jeera or cumin seeds and banana.
Story first published: Tuesday, May 16, 2017, 9:36 [IST]
X
Desktop Bottom Promotion