Just In
- 1018 days ago #BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 1027 days ago #IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1757 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1759 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
જાણો, મીઠાના પાણીથી કેવી રીતે કરી શકાય, મળાશયની સફાઈ
કોલોન ક્લીજિંગ (મોટા આંતરડાને સાફ કરવા માટેના રેચક) એક પ્રસિદ્ધ શબ્દ છે. આ નામથી કેટલાક પ્રોડક્ટ વેચાય છે. જાહેરાત કરનાર આ ઉત્પાદોને ખરીદવાની કોઈ જરૂરિયાત નથી, તમે મીઠાનો ઉપયોગ કરી શકો છો. અસામાન્ય મળ ત્યાગ કે અનિયમિત મળની સ્થિતિમાં તમારે તમારા મોટા આંતરડાને સાફ કરવાની જરૂરીયાત હોય છે.
જ્યારે તે અપશિષ્ટ પદાર્થ મોટા આંતરડામાં જમા થઈ જાય છે તો તે બીજી ઘણી સમસ્યાઓ ઉભી કરી શકે છે. જ્યારે તમે મોટા આંતરડાને સાફ કરો છો, તો આ અપશિષ્ટ સાફ થઈ જાય છે.
મોટા આંતરડાને સાફ કરવાથી તમને દર્દ, સોજો, ગેસ કે પાચનતંત્રમાં બળતરા જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે. સાથે તે ત્વચા માટે પણ સારું છે, મોંઢાની દૂર્ગંધ તેનાથી દૂર થાય છે અને સારી ઉંઘ પણ આવે છે.
તથ્ય ૧
મીઠાના પાણીને સવારે ઉઠતા જ કામમાં લો, એક લીટર પાણીમાં ૨ ટેબલ સ્પૂન સમુદ્રી મીંઠુ મિક્સ કરી લો અને તેને પી લો. તેનાથી પેટ સાફ થવાનું પ્રેશર આવશે. આ પાણીથી મોટા આંતરડાની સફાઈ થશે.
તથ્ય ૨
મીઠાના પાણીને પીતા જ જો તમને ઉલ્ટી થાય તો તેને ફરી વાર ના પીશો. તેના ઉપરાંત, જો તમને બ્લડ પ્રેશર છે અને મીંઠુ ઓછું ખાવાની સલાહ આપવામાં આવી હોય તો પણ તેને ના કરો! તેના સેવન પછી પણ જો તમને મળ ત્યાગમાં કોઈ ફરક ના પડે તો તેને ફરીથી ના કરો.
તથ્ય ૩
મોટાભાગના લોકો, આ ક્લીંજિંગ વ્રતવાળા દિવસો કરે છે. જો તમે વ્રત નથી કરતા તો તેને ઉઠતા જ ખાલી પેટ કરો.
તથ્ય ૪
જોકે મીઠાનું પાણી અપશિષ્ટને બહાર નીકાળે છે એટલે જ્યારે તમે મીઠાનું પાણી પીવો છો, તો તમારું મોંઢુ, ખાવાની નળી, પેટ અને આંતરડા બધુ સાફ થઈ જાય છે.
તથ્ય ૫
આ કામ માટે ફક્ત સમુદ્રી મીઠાનો જ ઉપયોગ કરો જે કે રિફાઈન અને આયોડાઈજ્ડ થયેલું ના હોય. આ ઉપાય માટે સામાન્ય મીંઠુ કારગર સાબિત નહી થાય. તેમાં હિમાલયન મીંઠુ પણ કામ કરે છે.
તથ્ય ૬
પીધા પછી શું થાય છે? તેની ૧૫-૨૦ મિનીટ પછી તમને ઝાડા થશે. તમારો અપશિષ્ટ પદાર્થ ૨-૩ વખતમાં નીકળશે એટલે તમારે ઘણી વાર ફ્રેશ થવા માટે જવું પડશે. એટલા માટે તેને રજાના દિવસે જ્યારે પર્યાપ્ત સમય હોય ત્યારે જ કરો.
તથ્ય ૭
કેટલાક લોકો આ ઈલાજને નિરંતર ૫-૭ દિવસો સુધી કરે છે, એવું કરતા પહેલા તમારા ર્ડોક્ટરની સલાહ લઈ લો. ૬ મહિનામાં ૧ વખતથી વધારે આ ક્રિયા ના કરો.